Abtak Media Google News

શ્રી વિલેપાર્લે સ્થાનકવાસી જૈન સંઘ ખાતે ૧૪ વર્ષે ચાતુર્માસ બિરાજીત પૂ. શ્રી ધીરગૂરૂદેવ તથા પૂ. નયનાજી મ.સ. પૂ. સુનંદાજી મ.સ.ના સાંનિધ્યે પર્વાધિરાજ પર્યુષણ પ્રસંગે ૫૧/૧, ૩૧/૧, ૧૬/૯, ૯-૮ સહિત ૧૦૮ મોટી તપસ્યા થયેલ. ઉપાશ્રય નિર્માણમાં શ્રીમતી અમિતા જગદીશ ઝોંસાએ એક ઉપાશ્રયનો લાભ જાહેર કરતા ઉમંગ છવાયો હતો. બપોરે ૩ થી ૫ કલાકે આલોચના વડે આત્મશુધ્ધિ કર્યા બાદ સાતાકારી પાટનો લાભ ભાવિકોએ લીધેલ.

Advertisement

સામૂહિક કારણ અને બહુમાન શકુંતલાબેન વિજયકુમાર મહેતા તરફથી તેમજ નૂતનીકરણમ દાતાઓએ દાનની વર્ષા કરેલ. જોરાવરનગરમાં વિજય ભુરાલાલ શાહે વૈયાવચ્ચ ભવનની ભાવના ભાવી હતી તા. ૧૬/૯ થી પ્રવચન ચાલુ થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.