Abtak Media Google News

હોડાવાળી ખોડીયાર મંદિરે યોજાનારા લોકડાયરાની રંગત માણશે

રાજુલા તાલુકાના આસરાણા ગામ પાસે આવેલા તેમજ ડુંગર રોડ પર બિરાજમાન હોડા વાળી ખોડીયાર માતાજીના સાનિધ્યમાં ધારાસભ્ય શ્રી અમરીશ ડેર પરિવાર દ્વારા આવતીકાલે તારીખ 6 11 2022 ને રવિવારના રોજ રાત્રે 8 થી 10 યોજાનાર સંતવાણી લોક ડાયરામાં કિર્તીદાન ગઢવી માયાભાઈ આહીર કલાકારો ને સંગાથે યોજાનાર સંતવાણી લોક ડાયરામાં રાજસ્થાનના મુખ્યમંત્રી   અશોક ગહેલોત હાજરી આપવાના છે તેઓ આવતીકાલે બપોરે રાજુલા આવી જશે અને ત્યારબાદ કોંગ્રેસ કાર્યકરો સાથે ચૂંટણી અંગે રણનીતિ તૈયાર કરશે ત્યારબાદ તેઓ સંતવાણી લોકડાયરો માં પણ હાજરી આપશે તેવું ધારાસભ્ય અમરીશ ડેરના કાર્યાલય પરથી  જાણવા મળેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.