Abtak Media Google News

અજાણ્યા શખ્સોએ માથામાં તિક્ષ્ણ હથિયારથી હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યાના આક્ષેપ થતા લાશનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાયું

શહેરના યુનિર્વસિટી રોડ પર આવેલા જે.કે.ચોક પાસેથી રજપૂત યુવાનનો લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળી આવતા મૃતકના પરિવારે અજાણ્યા શખ્સોએ હત્યાના આક્ષેપ કરતા સનસનાટી મચી ગઇ છે.

Advertisement

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ યુનિર્વસિટી રોડ પર આવેલા ગુજરાત હાઉસીંગ બોર્ડના કવાર્ટરમાં રહેતા ઘનશ્યામ ખોડાભાઇ ડાભી નામના ૩૫ વર્ષના રજપૂત યુવાનની લોહીથી ખરડાયેલી હાલતમાં જે.કે.ચોક પાસે પડી હોવાની પોલીસપુત્ર પદ્યમનસિંહ જાડેજાએ મૃતકના ભાઇ જયેશ ડાભીને જાણ કરતા તે જે.કે.ચોક દોડી ગયો હતો.

ઘનશ્યામ ડાભી છેલ્લા આઠેક દિવસથી મજુરી કામે ગયો ન હોવાનું અને ગઇકાલે સવારે નિત્ય ક્રમ મુજબ ઘરેથી નીકળ્યા બાદ ઘનશ્યામ લોહીલુહામ હાલતમાં પડયાની જાણ થતા ત્યાં દોડી ગયો હતો ત્યારે ઘટના સ્થળે લોહીનું ખાબોચીયુ ભરેલું અને ઘનશ્યામના જમણા કાન પાસે તિક્ષ્ણ હથિયારના ઇજાના નિશાન જણાતા યુનિર્વસિટી પોલીસ મથકમાં આ અંગે જાણ કરી હતી.

પી.આઇ. ગોહિલ, પી.એસ.આઇ. વાઘોશી અને રાઇટર લક્ષ્મણભાઇ સહિતના સ્ટાફ ઘટના સ્થળે પહોચી તપાસ કરતા તિક્ષ્ણ હથિયારના ઇજાના નિશાન જણાતા ઘનશ્યામની લાશનું ફોરેન્સિક નિષ્ણાંત પાસે પોસ્ટમોર્ટમ કરાવી તપાસ હાથધરી છે.

મૃતક બે ભાઇ અને એક બહેનમાં વચ્ચેટ હોવાનું અને દારૂ પીવાની ટેવ હોવાના કારણે લગ્ન ન કર્યાનું પરિવારજનો જણાવ્યું છે. ઘનશ્યામ ડાભીની અજાણ્યા શખ્સોએ હત્યા કરી હોવાના તેના ભાઇ જયેશ ડાભીએ કરતા યુનિર્વસિટી પોલીસ દ્વારા તપાસ હાથધરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.