Abtak Media Google News

અષાઢી બીજે છુટયા ૧૫૩૧ વાહનો વાહનવેરા પેટે કોર્પોરેશનને ૩૨.૯૧ લાખની આવક

રંગીલા રાજકોટવાસીઓ મંદી અને મોંઘવારીને મ્હાત આપી રહ્યા હોય તેમ અષાઢી બીજનાં શુકનવંતા દિવસે શહેરમાં એક જ દિવસમાં અધધ કહી શકાય તેટલા ૧૫૩૧ વાહનોનું વેચાણ થયું હતું. વાહનવેરા પેટે મહાપાલિકાને એક દિવસમાં ૩૨.૯૧ લાખની આવક થવા પામી છે.

Advertisement

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ અષાઢી બીજે શહેરમાં પેટ્રોલથી ચાલતાં ૧૩૨૬ ટુ-વ્હીલર, સીએનજી સંચાલિત ૪૩ થ્રી-વ્હીલર, સીએનજી સંચાલિત એક ફોર વ્હીલ, ડિઝલ સંચાલિત ૩૨ ફોર વ્હીલ, પેટ્રોલ સંચાલિત ૧૧૧ ફોર વ્હીલ, ડીઝલ સંચાલિત ૧૫ અન્ય ફોર વ્હીલ્સ અને ડીઝલ સંચાલિત ૩ સિકસ વ્હીલરનું વેચાણ થવા પામ્યું છે. કુલ ૧૫૩૧ વાહનોનું વેચાણ થતાં મહાપાલિકાને વાહનવેરા પેટે ૩૨,૯૧,૬૭૩ રૂપિયાની આવક થવા પામી છે. ચાલુ નાણાકીય વર્ષમાં ૯ જુલાઈ સુધીમાં શહેરમાં ૧૩,૭૧૨ વાહનો વેચાયા છે. વાહનવેરા પેટે મહાપાલિકાને રૂા.૩.૯૬ કરોડ રૂપિયાની આવક થવા પામી છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.