Abtak Media Google News

અમદાવાદના નરેન્દ્રમોદી સ્ટેડીયમમાં ગઈ કાલે ગુજરાત ટાઈટન્સ અને કલકત્તા નાઈટ રાઈડર્સ વચ્ચે રોમાંચ મેચ રમ્યો હતો જેમાં પેવેલિયનમાં આશા ખોઈ બેસેલા પ્લેયરમાં રીન્કુ સિંહે આશાનું કિરણ ઉત્પન્ન કરીને KKRને શાનદાર જીત જીત અપાવી હતી. છેલ્લી ઓવર સુધી પહોંચેલા મેચમાં કલકત્તાના રિંકુ સિંહે છેલ્લા 5 બોલમાં 5 છગ્ગા ફટકારી ટીમને વિજય અપાવ્યો હતો.

Advertisement

ગુજરાતના કેપ્ટન રાશિદ ખાને ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ગુજરાતે 20 ઓવરમાં ચાર વિકેટે 204 રન બનાવ્યા હતા. કોલકાતાની શરૂઆત સારી હતી પરંતુ રાશિદ ખાને 17મી ઓવરમાં હેટ્રિક લઈને મેચને ગુજરાત તરફ વાળ્યો હતો ત્યારે કહેવત છે ને કે અશક્યને શક્ય કરી બતાવે તેનું નામ જ ઈતિહાસના પાનામાં લખાઈ છે. કોલકાતાને જીતવા માટે છેલ્લી ઓવરમાં 29 રન બનાવવાના હતા. એવું લાગતું હતું કે તે મેચ હારી જશે, પરંતુ KKRના પ્લેયરે છેલ્લા 5 બોલમાં 5 છગ્ગા ફટકારીને IPLના ઇતિહાસમાં પોતાનું નામ નોંધાવ્યું છે.

કોઈ પણ વ્યક્તિને સફળતા મેળવવા માટે સંઘર્ષ તો કરવો જ પડે છે. સંઘર્ષ વગર સફળતાના શિખરો સર કરી શકાતા નથી ત્યારે રીન્કુ સિંહની પણ કંઈક આવી જ કહાની છે જેમાં રિંકુ સિંહ ઉત્તર પ્રદેશના અલીગઢની રહેવાસી છે. રિંકુના પિતા અલીગઢમાં ગેસ સિલિન્ડરનું વિતરણ કરતા હતા. પાંચ પુત્રોમાંથી એક રિંકુ શાળાના દિવસોથી જ ક્રિકેટનો ખૂબ શોખીન હતો અને ફ્રી ટાઇમમાં મિત્રો સાથે ક્રિકેટ રમતો હતો. આ વાતનો ખુલાસો રિંકુએ કોલકાતા નાઈટ રાઈડર્સની વેબસાઈટ પર એક વીડિયોમાં કર્યો છે.

રિંકુએ કહ્યું, “મારા પિતા મને ક્રિકેટ રમતા જોવા માંગતા ન હતા. તે નહોતો ઈચ્છતો કે હું ક્રિકેટમાં મારો સમય બગાડું. ક્યારેક મારી જીદને કારણે માર પણ મારતો હતો. હું રમીને ઘરે આવતો ત્યારે મારા પિતા લાકડી લઈને ઊભા રહેતા. જોકે, મારા ભાઈઓ મને ટેકો આપતા હતા અને મને ક્રિકેટ રમવા માટે કહેતા હતા. ત્યારે મારી પાસે બોલ ખરીદવા માટે પૈસા નહોતા. કેટલાક લોકોએ મને આમાં મદદ પણ કરી જો ત્યારે રીન્કુએ ક્રિકેટ માટે એટલી જ જીજ્ઞાસા ન રાખી હોત તો આજે લોકોને અને KKRને આ સ્ટાર પ્લેયર ન મળ્યો હોત.

રિંકુએ કહ્યું હતું કે, “મને કોચિંગ સેન્ટરમાં મોપ તરીકે નોકરી મળી. કોચિંગ સેન્ટરના લોકોએ કહ્યું કે સવારે વહેલા આવો અને મોપિંગ કર્યા પછી નીકળી જાવ. મારા ભાઈએ જ મને આ નોકરી અપાવી હતી. હું આ કામ ન કરી શક્યો અને નોકરી છોડી દીધી. હું વાંચી પણ શકતો ન હતો, તેથી મને લાગ્યું કે હવે મારે ક્રિકેટ પર સંપૂર્ણ ધ્યાન આપવું જોઈએ. મેં વિચાર્યું કે હવે માત્ર ક્રિકેટ જ મને આગળ લઈ જશે અને મારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી. કહેવાય છે ને દરેક વ્યક્તિ હીરા હોય છે ફક્ત તેને ઓળખવા માટે જવેરીની જરૂર હોય છે. અને આ રીન્કુ નામના હીરાને શાહરૂખ ખાન જેવા જવેરીએ ખરીદ્યો અને આ સ્ટાર પ્લેયર IPLમાં ઝળકયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.