Abtak Media Google News
  • ટ્રેક્ટર તેમજ કૃષિ યાંત્રિકીકરણ અને વિવિધ ખેત ઓજારોની ખરીદીમાં સહાય માટે 701 કરોડની,
    ખેતરની ફરતે કાંટાળી તારની વાડ માટે સોલાર ફેન્સીંગ બનાવવા સહાય માટે 350 કરોડની જોગવાઈ

અબતક ન્યૂઝ

સરકારે કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ 22,194 કરોડની જોગવાઈ કરી છે. નાણામંત્રીએ જણાવ્યું કે ટ્રેક્ટર તેમજ કૃષિ યાંત્રિકીકરણ અને વિવિધ ખેત ઓજારોની ખરીદીમાં સહાય આપવા 701 કરોડની જોગવાઇ. વન્ય પ્રાણીઓ દ્વારા ખેડૂતોના પાકને નુકશાન થતું અટકાવવા ખેતરની ફરતે કાંટાળી તારની વાડ માટે સોલાર ફેન્સીંગ બનાવવા સહાય માટે 350 કરોડની જોગવાઈ. રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અંતર્ગત 218 કરોડની જોગવાઇ એગ્રો અને ફુડ પ્રોસેસીંગ એકમોને સહાય આપવા 200 કરોડની જોગવાઇ.મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર યોજના અંતર્ગત સહાય આપવા માટે 77 કરોડની જોગવાઈ.

ખાતેદાર ખેડૂતોને આકસ્મિક મૃત્યુના કિસ્સામાં વીમા રક્ષણ આપવાની યોજના હેઠળ 81 કરોડની જોગવાઇ.વધુ ઉત્પાદન આપતી સર્ટિફાઇડ જાતોના બિયારણ વિતરણ માટે સહાય આપવાના હેતુસર સીડ રીપ્લેસમેન્ટ રેટમાં વધારો કરવા માટે 80 કરોડની જોગવાઈ. કૃષિ ક્ષેત્રે અદ્યતન ડ્રોન ટેક્નોલોજી (કૃષિવિમાન)ને પ્રોત્સાહન આપવા તેમજ દાણાદાર યુરિયાના વિકલ્પ સ્વરૂપે જમીન સ્વાસ્થ્ય જળવાય તે હેતુથી નેનો યુરિયાનો વપરાશ વધારવા માટે ‘56 કરોડની જોગવાઈ.ગુજરાત રાજયના ખેડૂતોને મીલેટ્સના વાવેતર વિસ્તાર વધારવા પ્રેરણા મળે અને મૂલ્યવર્ધન કરી પોતાની આવકમાં વધારો કરે તે હેતુથી બિયારણ સહાય, પ્રચાર પ્રસાર વગેરે માટે 35 કરોડની જોગવાઈ.

પ્રાકૃતિક કૃષિમાં ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ તથા પ્રાકૃતિક કૃષિના વ્યાપ વધારવાની વિવિધ યોજનાઓ મળી કુલ 168 કરોડની જોગવાઇ. પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતને દેશી ગાયના નિભાવ ખર્ચ માટે સહાય આપવા 199 કરોડની જોગવાઇ.

બાગાયત માટે

સંકલિત બાગાયત વિકાસ કાર્યક્રમ હેઠળ બાગાયતી પાકોના વાવેતર, વિવિધ ખેત કાર્યો તેમજ પાક સંગ્રહ માટે 294 કરોડની જોગવાઈ. નવા બાગાયતી પાકોને પ્રોત્સાહન આપવા તથા કાપણી પછીના વ્યવસ્થાપન માટે માળખાકીય સુવિધાઓ ઊભી કરવા 160 કરોડની જોગવાઈ. બાગાયતી ખેત પેદાશોના મૂલ્યવર્ધન અને સંગ્રહ માટેની માળખાકીય સુવિધાઓ ઊભી કરવા 65 કરોડની જોગવાઈ. મસાલા પાકોના સર્ટીફાઈડ બિયારણ, પપૈયા પાકમાં ફળપાક ઉત્પાદકતા વધારવા અને ફળપાકોના જુના બગીચાઓના નવસર્જન માટે 18 કરોડની જોગવાઇ. બાગાયત ખાતાના રોપ ઉછેર કેંદ્રોની ઉત્પાદન ક્ષમતા વધારવા માટે 15 કરોડની જોગવાઈ. બાગાયતી પાકોના પાંચ નવા સેન્ટર ઓફ એકસલન્સ ઊભા કરવા માટે ‘15 કરોડની જોગવાઈ. આદિજાતિ વિસ્તારોમાં મધમાખી પાલકોને મધમાખીની હાઈવ્સ તથા કોલોની પૂરી પાડવાની યોજના હેઠળ 6 કરોડની જોગવાઇ કરાઈ છે.

મત્સ્યોધોગ માટે

મત્સ્યબંદરો માઢવાડ, નવાબંદર, વેરાવળ-2, માંગરોળ-3 અને સુત્રાપાડાના વિકાસ અને રાજ્યના હયાત મત્સ્ય બંદરો, મત્સ્ય ઉતરાણ કેન્દ્રોનું આધુનિકીકરણ, અપગ્રેડેશન, ડ્રેજીંગ જેવી આનુષાંગિક બાબતો માટે 627 કરોડની જોગવાઈ, સાગર ખેડૂઓને હાઈસ્પીડ ડિઝલ વેટ રાહત યોજના માટે 463 કરોડની જોગવાઈ. દરિયાઈ, આંતરદેશીય તથા ભાંભરાપાણીમાં મત્સ્યોદ્યોગના વિકાસ માટે 134 કરોડની જોગવાઈ.

કૃષિ યુનિવર્સિટીઓ માટે

રાજ્ય કૃષિ યુનિવર્સિટીઓ હેઠળ કૃષિ સંશોધન અને શિક્ષણના કાર્યક્રમોને સઘન બનાવવાના હેતુથી મોરબી અને કચ્છ ખાતે નવીન કૃષિ મહાવિદ્યાલયો તથા ખેડબ્રહ્મા ખાતે કૃષિ ઈજનેરી મહા વિદ્યાલય ચાલુ કરવામાં આવશે. કૃષિ યુનિવર્સિટીઓની માળખાકીય વ્યવસ્થા, વહીવટ અને સંશોધન માટે 930 કરોડની જોગવાઇ. પશુપાલન ક્ષેત્રે શિક્ષણ તેમજ સંશોધન કાર્યમાં સંલગ્ન કામધેનુ યુનિવર્સિટી માટે 324 કરોડની જોગવાઈ. ક્ષમતા વધારવા માટે 15 કરોડની જોગવાઈ. બાગાયતી પાકોના પાંચ નવા સેન્ટર ઓફ એકસલન્સ ઊભા કરવા માટે ‘15 કરોડની જોગવાઈ. આદિજાતિ વિસ્તારોમાં મધમાખી પાલકોને મધમાખીની હાઈવ્સ તથા કોલોની પૂરી પાડવાની યોજના હેઠળ 6 કરોડની જોગવાઇ કરાઈ છે.

પશુપાલન માટે

મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અંતર્ગત 425 કરોડની જોગવાઈ. ફરતાં પશુ દવાખાના તથા કરુણા એનિમલ એમ્બ્યુલન્સની સેવાઓ માટે 110 કરોડની જોગવાઈ. ગ્રામ્ય કક્ષાએ સ્વરોજગારી માટે દુધાળા પશુઓના ડેરી ફાર્મની સ્થાપના માટે સહાય પૂરી પાડવા 62 કરોડની જોગવાઈ. ગાભણ તથા વિયાણ થયેલ પશુ માટે ખાણદાણ સહાયની યોજના દ્વારા પશુપાલકોને લાભ આપવા ‘54 કરોડની જોગવાઈ. સરકારી પશુ-સારવાર સંસ્થાઓ ખાતે વિનામૂલ્યે પશુ-સારવાર ઉપલબ્ધ કરાવવા મુખ્યમંત્રી નિ:શુલ્ક પશુ સારવાર યોજના માટે ‘43 કરોડની જોગવાઈ. પશુધન વીમા પ્રીમિયમ સહાય માટે 23 કરોડની જોગવાઈ.પાડી-વાછર ડી ઉછેર યોજના અંતર્ગત જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘો માટે 11 કરોડની જોગવાઈ. કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારના દૂધ ઉત્પાદક સહકારી સંઘોને વિવિધ માળખાકીય સુવિધાઓ વિકસાવવા માટે સહાય પૂરી પાડવા 10 કરોડની જોગવાઈ.

સહકાર માટે

ખેડૂતોને બેન્કો મારફત 3 લાખ સુધીનું ટૂંકી મુદતનું પાક ધિરાણ કે.સી.સી. મારફત આપવામાં આવે છે. ધિરાણની આ રકમ પર 4% લેખે વ્યાજ રાહત આપવા માટે 1140 કરોડની જોગવાઈ.પશુપાલકો અને માછીમારોને 2 લાખ સુધીના ટૂંકી મુદતના ધિરાણ માટે 4% વ્યાજ રાહત આપવા 75 કરોડની જોગવાઇ. ખેતી વિષયક પ્રાથમિક ધિરાણ મંડળીઓના કમ્પ્યુટરાઇઝેશન માટે 46 કરોડની જોગવાઈ. બજાર સમિતિઓને માળખાકીય સગવડોના વિકાસ માટે સહાય કરવા કિસાન કલ્પવૃક્ષ યોજના હેઠળ 23 કરોડની જોગવાઈ. બજાર સમિતિઓમાં પ્રોસેસીંગ યુનિટસ સ્થાપવા માટે સહાય આપવા 12 કરોડની જોગવાઇ. સહકારી ખાંડ ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા વિવિધ યોજનાઓ અંતર્ગત 8 કરોડની જોગવાઇ.

ખેડૂતોને દિવસે વીજળી પુરી પાડવા રૂ.1570 કરોડ ખર્ચાશે

બજેટમાં ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ માટે કુલ 8423 કરોડની જોગવાઇ

નાણામંત્રીએ જણાવ્યું કે ખેડૂતોને દિવસે વિજળી પૂરી પાડવા માટે કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત 1570 કરોડની જોગવાઇ. રીવેમ્પ્ડ ડિસ્ટ્રીબ્યુશન સ્કીમ અંતર્ગત વીજ વિતરણ વ્યવસ્થાના સુદ્રઢીકરણ માટે માળખાકીય સુવિધાઓનું અપગ્રેડેશન અને સ્માર્ટ મીટરની યોજના માટે 1285 કરોડની જોગવાઇ. આદિજાતિ, સાગરકાંઠા તથા અન્ય વિસ્તારોમાં નવા કૃષિ વિષયક વીજ જોડાણો આપવા માટે 1017 કરોડની જોગવાઇ. સાગરકાંઠા તથા આદિજાતિ વિસ્તારોમાં નવા સબ-સ્ટેશનો સ્થાપવા માટે 380 કરોડની જોગવાઇ. મોર્ડન ટેકનોલોજીનો ઉપયોગ કરી સાતત્યપૂર્ણ અને ગુણવત્તાયુક્ત વીજળી પૂરી પાડવા વનબંધુ કલ્યાણ યોજના-ર હેઠળ 253 કરોડની જોગવાઇ. પી.એમ. કુસુમ યોજના અંતર્ગત સ્ટેન્ડ અલોન-ઓફ ગ્રીડ સોલાર પાવર એગ્રીકલ્ચર પંપ પૂરા પાડવા માટે ‘152 કરોડની જોગવાઇ.ખેતીવાડી ફીડરોના હયાત જૂના જર્જરીત વીજ વાયરો/કંડકટર તથા તેને આનુષાંગિક સાધન સામગ્રી બદલી ગુણવત્તાસભર વીજ પુરવઠો પૂરો પાડવા 130 કરોડની જોગવાઇ. હયાત ઓવરહેડ ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કને અંડરગ્રાઉન્ડ કેબલ નેટવર્કમાં રૂપાંતર કરવા માટે 100 કરોડની જોગવાઇ. રસ્તાઓના વિસ્તૃતિકરણ અથવા રસ્તાઓ પર અડચણરૂપ હયાત ટ્રાન્સમિશન લાઇન અને સંલગ્ન વીજ માળખાનું શિફટીંગ/રિપ્લેસમેન્ટ કરવા માટે 95 કરોડની જોગવાઇ. એનર્જી સ્ટોરેજ સોલ્યુશન્સ અને ગ્રીડ કનેક્ટેડ બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ સ્થાપવા માટે 65 કરોડની જોગવાઈ કરાઈ છે.

Singer Professional Anchor Voice over artist Content creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.