Abtak Media Google News
  • સદગુરુને મગજની ઈમરજન્સી સર્જરી બાદ દિલ્હીની હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી
  • ‘ડોક્ટરોએ તેમની રિકવરી અને સારવાર પર સંતોષ વ્યક્ત કર્યો છે.

નેશનલ ન્યૂઝ : સદગુરુને 17 માર્ચ, 2024 ના રોજ મગજમાં કટોકટી રક્તસ્રાવને કારણે મગજની સર્જરી કરાવ્યા બાદ આજે નવી દિલ્હીની ઈન્દ્રપ્રસ્થ એપોલો હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. હોસ્પિટલમાં મગજની સર્જરી કરાવતા પહેલા તેઓ થોડા અઠવાડિયાથી માથાના દુખાવાથી પીડાતા હતા.Img 20240327 Wa0013

હોસ્પિટલમાં સદગુરુને મળેલા અપોલો હોસ્પિટલ ગ્રૂપના જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર ડૉ. સંગીતા રેડ્ડીએ શેર કર્યું, ‘ડોક્ટરોએ તેમની રિકવરી અને સારવાર પર સંતોષ વ્યક્ત કર્યો છે. સદગુરુએ તેમની સ્વસ્થતા દરમિયાન પણ એ જ ઉત્સાહ જાળવી રાખ્યો છે. વૈશ્વિક કલ્યાણ માટે તેમની પ્રતિબદ્ધતા, તેમનું તીક્ષ્ણ મન અને તેમની રમૂજની ભાવના બધુ જ અકબંધ રહે તે લાખો લોકો માટે સારા સમાચાર છે જેઓ તેમના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી રહ્યા છે.સદગુરુના આ કપરા સમયગાળા દરમિયાન સદગુરુને દરેક તરફથી મળેલા પ્રેમ અને સમર્થન માટે ફાઉન્ડેશન અત્યંત આભારી છે.

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.