Abtak Media Google News

જિલ્લાના પ્રભારી સચિવની ઉપસ્થિતિમા ૧ લી મે ના રોજ મહાપ્રભુજીની બેઠક ખાતે કાર્યક્રમ

રાજ્યમાં તળાવો અને ચેકડેમ ઊંડા ઉતારવાની સાથે નદીઓની સફાઈ કામગીરી માટે ૧ લી મે ના રોજ પ્રારંભ થઇ રહેલા સૂઝલામ – સુફલામ કાર્યક્રમ અંતર્ગત મોરબીની ઐતિહાસિક મચ્છુ નદીને ઊંડી ઉતરવાની સાથે સાથે સ્વચ્છ બનાવવાનો પ્રારંભ જિલ્લાના પ્રભારી મંત્રી સૌરભભાઈ પટેલની ઉપસ્થિતિમાં કરાશે.

રાજ્ય સરકારના સુઝલામ – સુફલામ અભિયાન અંતર્ગત સમગ્ર રાજ્યની સાથે – સાથે મોરબી જિલ્લામાં ચેકડેમ, તળાવો ઊંડા ઉતારવાની કામગીરીમાં મોરબીની પ્રદુષિત થઈ ગયેલી મચ્છુનદીને શુદ્ધિકરણ અને ડીપનિંગ કાર્યનો પ્રારંભ રાજ્યના મંત્રી અને મોરબી જિલ્લાના પ્રભારીમંત્રી સૌરભભાઈ પટેલના હસ્તે તા. ૧ મે ના રોજ સવારે ૧૦ કલાકે અત્રેની મહાપ્રભુજી બેઠક, એલ.ઇ.કોલેજ ગ્રાઉન્ડ ખાતેથી કાર્યક્રમ યોજી કરાશે.

આ ઉપરાંત જિલ્લાના વિરપર ગામે બપોરે ૧૨ કલાકે અને હળવદ ખાતે બપોરે ત્રણ વાગ્યે તળાવ ઊંડા ઉતરવાની કામગીરીનો પ્રભારી મંત્રીના હસ્તે પ્રારંભ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે સુઝલામ – સુફલામ યોજના અંતર્ગત તા. ૧ થી ૩૧ મેં સમગ્ર મોરબી જિલ્લામાં ચેકડેમો અને તળાવો ઊંડા ઉતરવાની કામગીરી ઝુંબેશરૂપે કરી ભૂગર્ભ જળસ્તર ઉંચા લાવવાની સાથે જળસંચય અભિયાન ચાલવાશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.