Abtak Media Google News

પરિવારે એક ન થવા દેતા યુગલે અંતિમ પગલુ ભર્યું: ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર

દાદરાનગર હવેલીનાં માંદોની ગામે પરિવારજનોએ એક થવા ન દેતા પ્રેમી યુગલે વૃક્ષ પર ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતુ. આ ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે. ઘટનાની પાનવેલ પોલીસે નોંધ કરરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

દાદરાનગર હવેલીનાં માંદોની ગામનાં પ્રેમી યુગલે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી મળેલ જાણકારી અનુસાર હેતચીમાઠનાં રહેવાસી પિન્ટુ સુરેશ અને સુખરીમાઠના રહેવાસી જયોતી મહાદૂ બંને પાંચ વર્ષ પહેલા માંદોની ગામે પશુ ચરાવવા માટે જાતા હતા. એ સમય દરમિયાન બંને વચ્ચે પ્રેમ થઈ ગયો યુવકનાં પરિવારજનોએ યુવતીનાં પરિવારજનોને વાત કરી અને લગ્ન માટેની વિનંતી કરી પરંતુ યુવતીનાં પરિવારજનોએ ના પાડી એટલે પિન્ટુના પરિવારજનો પિન્ટુના અન્ય યુવતી સાથે લગ્ન કરાવી દીધા.

ઉપરાંત પિન્ટુને બે સંતાન પણ છે. આજથી છ મહિના પહેલા પિન્ટુ અને જયોતિની મુલાકાત થઈ હતી પરંતુ પરિવારોએ આ બંનેનાં પ્રેમની અવગણના કરી હોવાથી બંને પ્રેમીઓ એ એક સાથે મળીને વૃક્ષ પર ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતુ. આ ઘટનાની જાણ ખાનવેલ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે પહોચી હતી. અને જાણકારી લઈ લાશને કબ્જમાં લઈ ખાનવેલ ખાતે હોસ્પિટલમાં પીએમ માટે મોકલી હતી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.