Abtak Media Google News

શેર વિથ સ્માઈલ એન.જી.ઓ.દ્વારા 14 જેટલી આંગણવાડીઓ ના 350 જેટલા બાળકો ને 13 તારીખ ના રોજ મકારસંક્રાતિ નિમિતે સેંજલભાઈ મહેતા,મૌલિકભાઈ પટેલ ની ટિમ દ્વારા બાળકો ને મમરા ના લાડુ,તલના લાડુ,ચીક્કી ના પેકેટ નું વિતરણ કરવામાં આવ્યું.જેમાં હિન્દૂ યુવા વાહીની ના હરપાલસિંહ જાડેજા,ગઢવીભાઈ ઉપસ્થિત રહ્યા હતા.તેમજ બ્રહ્મસેતુ ના પ્રમુખ દીપકભાઈ ભટ્ટ,પ્રશિક્ષણ શેલ ના કન્વિનર જયેશભાઇ પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

તથા 350 જેટલા બાળકો ને દિપભાઈ પાનસુરીયા,મયૂરભાઈ પટેલ તથા ડૉ. જગદીશભાઈ સખીયા દ્વારા પતંગ,ફીરકી,માસ્ક ની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું..બાળકો ના ચહેરા પર ખુબ જ આનંદ જોવા મળ્યો.આ તમામ લોકો નો શેર વિથ સ્માઈલ એન.જી.ઓ.પરિવાર દિલ થી આભાર માને છે કે જેમણે સ્લમ વિસ્તાર ના બાળકો ના ચહેરા પર સ્માઈલ લાવા નું કાર્ય કર્યું છે..

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.