Abtak Media Google News

સોમનાથ બાર જ્યોતિર્લિંગ પૈકીનું પ્રથમ જ્યોતિર્લિંગ છે. અત્રે ભાવિક ભક્તો શ્રધ્ધાળુઓ અવિરત આવતા રહે છે.

Advertisement

ઉક્ત ભાવિક ભક્તો શ્રધ્ધાળુઓ યાત્રિકો ને પ્રસાદ વિતરણ કરવાની ઇચ્છા ધરાવતા હોય તે હેતુથી  શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા મીઠી બુંદી તથા ગાઠીયા નો પ્રસાદ વેચાણમાં મુકવામાં આવેલ છે જેમાં મીઠી બુંદીનું પેકેટ ૧ કિલોગ્રામ જેની ન્યોછાવર રૂ ૧૨૦ નક્કી કરવામાં આવેલ છે. અને ગાઠીયાનું પેકેટ ૧ કિલોગ્રામ  જેની ન્યોછાવર રૂ ૧૦૦ નક્કી કરવામાં આવેલ છે. તેવીજ રીતે મીઠી બુંદી ના ૫૦૦ગ્રામના પેકેટના રૂ ૬૦ તથા ગાઠીયા ના ૫૦૦ગ્રામના પેકેટના રૂ ૫૦ ન્યોછાવર રાખવામાં આવેલ છે.

જેથી શ્રધ્ધળુઓ  લઇ ને પ્રસાદી સ્વરૂપે યાત્રિકોને  વિતરણ કરી શકે તેવા શુભ આશયથી આ યોજના શ્રી સોમનાથ ટ્રસ્ટના માનનીય અધ્યક્ષ શ્રી કેશુભાઇ પટેલ તથા માનનીય ટ્રસ્ટી સેક્રેટરી શ્રી પી.કે.લહેરી સાહેબના માર્ગદર્શન મુજબ જનરલ મેનેજર સાહેબ દ્વારા આજના દશેરાના પાવન દિવસે શુભારંભ કરવામાં આવેલ. આનાથી શ્રધ્ધાળુઓ પ્રસાદનું વિતરણ પણ કરી શકે  અને સાથે પણ લઇ જઇ શકે  જેનો  દરેક  શ્રધ્ધાળુઓ , ભક્તો ને લાભ લેવા શ્રી સોમનાથ ટ્રસ્ટની યાદીમાં જણાવેલ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.