Abtak Media Google News

15 ઓગસ્ટથી શરૂ થયેલું આ અભિયાન બીજી ઓગસ્ટ ગાંધી જયંતિ સુધી ભારતના 75 મહાનુભાવોની જન્મભૂમિ પ્રત્યે સન્માન દર્શાવવા દરેક શિપમેન્ટ પર તેમના લેબલ મૂકશે

ભારતને ગૌરવ અપાવનાર મહાન વિભૂતિઓની જન્મભૂમિ પ્રત્યે સન્માન વ્યક્ત કરવા માટે શ્રી મારૂતિ કુરિયર સર્વિસીસ પ્રાઈવેટ લિમિટેડે સ્વતંત્રતા દિવસથી એક અનોખું અને વિશાળ અભિયાન ’લેન્ડ ઑફ લિજેન્ડ’ શરૂ કર્યું છે. અમદાવાદમાં હેડક્વાર્ટર ધરાવતી કંપની આઝાદી કા અમૃત મહોત્સવની ઊજવણી કરવા માટે દેશભરમાં આ અભિયાનની શરૂઆત કરી છે, જે ભારત સરકારની આઝાદીના 75 વર્ષ અને તેના લોકો, સંસ્કૃતિ અને સિદ્ધિઓના ગૌરવશાળી ઈતિહાસની ઊજવણી અને સ્મૃતિની પહેલ છે. ’લેન્ડ ઑફ લિજેન્ડ’ અભિયાન 02 ઓક્ટોબર, 2022 ના રોજ મહાત્મા ગાંધીના જન્મદિવસે સમાપ્ત થશે.

કંપનીએ એવા 75 દિગ્ગજ મહાનુભાવોની યાદી બનાવી છે જેમણે દેશ માટે ગૌરવપૂર્ણ સ્વતંત્રતા લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે,  દેશના કોઈપણ ખૂણામાં ડિલિવરી માટે તૈયાર હોય તેવા શિપમેન્ટ પર આ મહાનુભાવોનો ફોટો અને તેની જન્મભૂમિનો ઉલ્લેખ દર્શાવતું વિશેષ લેબલ મૂકવામાં આવશે.

આ પહેલ અંગે મારુતિ કુરિયર સર્વિસીસ પ્રાઈવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર  અજય મોકરિયાએ જણાવ્યું હતું કે, અમને એ જોઈને આનંદ છે કે સમગ્ર દેશ એક અનન્ય કહી શકાય તેવો ’આઝાદી કા અમૃત મહોત્સવ’ ઉજવી રહ્યો છે, જે ભારતની ભવ્ય સ્વતંત્રતા ચળવળનો તહેવાર અને સ્વતંત્રતા સંગ્રામના યોદ્ધાઓની પ્રેરણા છે. આપણે સ્વતંત્રતા પ્રાપ્ત કર્યા પછી એવા ઘણા દિગ્ગજો હતા હતા જેમણે નવા ભારતના ઘડતરમાં ઉત્તમ યોગદાન આપ્યું. દુ:ખની વાત એ છે કે, મોટાભાગના ભારતીયો આ મહાનુભાવોની જન્મભૂમિ વિશે જાણતા જ નથી. જે ભૂમિ પર આવા આદરણીય, પ્રતિષ્ઠિત અને મહાનુભાવો જન્મ્યા હોય તે ભૂમિ પર આપણને ગર્વ હોવો જોઈએ. આ અભિયાન થકી ભારતના મહાન વ્યક્તિઓની મહાન જન્મભૂમિ વિશે જાગૃતિ ફેલાવવાનો અમારો એક નમ્ર પ્રયાસ છે.

કંપની એર અને સરફેસ ટ્રાન્સપોર્ટ રૂટ્સ દ્વારા દૈનિક ધોરણે 2.5 લાખ કુરિયર અને ક્ધસાઈનમેન્ટ્સનું સંચાલન કરે છે. આ અભિયાન માટેના મહાનુભાવોની યાદીમાં મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, પંડિત જવાહરલાલ નહેરૂ, નેતાજી સુભાષ ચંદ્ર બોઝ, ભગત સિંહ, અટલ બિહારી વાજપેયી, ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન, ફિલ્ડ માર્શલ સામ માણેકશા, સી વી રમણ, ડો. એ પી જે અબ્દુલ કલામ, જેઆરડી ટાટા, કપિલ દેવ, એન આર નારાયણ મૂર્તિ, લતા મંગેશકર, રાજા રામમોહન રાય જેવી અનેક હસ્તીઓ સમાવિષ્ટ છે. ભારત આઝાદીના 75મા વર્ષની ઉજવણી કરી રહ્યું છે ત્યારે શ્રી મારૂતિ આ 75 મહાન વ્યક્તિ ઓની જન્મભૂમિને વંદન કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.