Abtak Media Google News

જામનગરના મોટી ખાવડીમાં રહેતા સીઆઈએસએફના જવાનના ધો. ૧૨ સીબીએસઈમાં નાપાસ થયેલા પુત્રએ નાસીપાસ થઈ ગળાફાંસો ખાઈ જીવાદોરી ટુંકાવી દેતા અરેરાટી પ્રસરી છે.

જામનગર તાલુકાના મોટી ખાવડીમાં આવેલી રિલાયન્સ કંપની નજીકની સીઆઈએસએફ કોલોનીના બ્લોક નં. ૭ના રૃમ નં. એ-૧ માં વસવાટ કરતા સીઆઈએસએફના જવાન વિજયક્રિષ્ના રામનિષય મિશ્રાના પુત્ર યતેન્દ્રએ તાજેતરમાં ધો. ૧૨ સી.બી.એસ.ઈ.ના જાહેર થયેલા પરિણામ પછી શનિવારે સાંજે પોતાના ઘરે પંખામાં દુપટ્ટા વડે ગળાફાંસો ખાઈ જીવાદોરી ટુંકાવી દીધી છે.

તાજેતરમાં જ જાહેર થયેલા આ પરિણામમાં યતેન્દ્ર નાપાસ જાહેર થયો હતો જેના પગલે નાસીપાસ થયેલા યતેન્દ્રએ આત્મહત્યાનું પગલું ભર્યું હોવાનું બહાર આવ્યું છે, દોડી ગયેલા મેઘપરના પ્રોબે. પી.એસ.આઈ. એસ. પી. સોઢાએ મૃતદેહની પી.એમ. માટે ખસેડી પિતા વિજયક્રિષ્નાનું નિવેદન નોંધ્યું છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.