Abtak Media Google News

વિલેપારલેમાં પૂ. ધીરગુરૂદેવએ પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ પ્રસંગે ધર્મસભા સંબોધી

વિલેપારલે સ્થાનકવાસી જૈન સંઘ ખાતે પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ પ્રસંગે પૂ. ધીરગુરૂદેવે વિશાળ ધર્મસભાને સંબોધતા જણાવેલ કે તીર્થમાં જવું પડે. ત્યારે પર્વ સામેથી આપણા આંગણે પધારે છે. સિતારે હજાર હોતે હૈ,  ચાંદ જૈસા કોઈનહીે, પર્વ બાર બાર આતે હૈ, પર્યુષણ જૈસા કોઈ નહીં. તપ-ત્યાગ-દાન-પૂણ્ય કરી લેવાથી નહિ, રાગદ્વેષ, કલેશ-કંકાસ, કષાયો ઘટશે તો પર્યુષણ સાર્થક થશે. પર્યુષણ ખુશીનો  ખજાનો લઈને આવ્યા છે. હેપીનેસ જયાં જીવો છે ત્યાં ખુશી પ્રસન્નતાનો  વધારો કરતા રહો. દિમાગથી નહિ દિલથી જીવો. કાઈન્ડનેસ-ભલાઈ કરતા જાઓ. પૈસાથી નહિ પ્રેમથી જીવો. મલાઈ વગરનું દુધ નકામુ તેમ ભલાઈ વગરનું જીવન નકામું છે. પૈસા છે તો સત્કર્મ, માનવતા, દીન દુ:ખિયાના આંસુ લુછી ચહેરા ઉપર મુસ્કાન લાવવાનું કાર્ય કરો. ધર્મની શરૂઆત મંદિર, મસ્જીદ, ઉપાશ્રયથી નહિ ઘરથી  કરો. સેલ્ફલેસનેસ નિ:સ્વાર્થતા ભાવને અપનાવો. સ્વાર્થથી નહિ પરમાર્થથી જીવો પોતાની સાથે કામ લેવું હોય ત્યારે મગજનો બીજા સાથે કામ લેવું હોય ત્યારે  હૃદયનો ઉપયોગ કરો.

Advertisement

જગતમાં વસવું તેનુ નામ પ્રદુષણ અને જાતમાં વસવું તેનું નામ પર્યુષણ છે. પર્યુષણ તો આવતા રહેશે. જતા રહેશે. પરંતુ તેનો અર્ક આપણા અંતરમનમાં ટકી રહે તેવો પુરૂષાર્થ કરવાનો છે. પર્યુષણનો સંદેશ છે કે અઠ્ઠમતપની સાધના, અભય દાનમાં પ્રગતિ, સાધર્મી ભકિતમાં વધારો ભાવધર્મ-શુભભાવમાં ઉમેરો અને અંતે પ્રતિક્રમણ કરીને ક્ષમાભાવથી આત્માની શુધ્ધિ-વિશુધ્ધિથી  આત્માને  પુનિત, પાવન  બનાવવાનું ભૂલશો નહિ.

સંઘમાં કાયમી વ્યાખ્યાન પ્રભાવના આયોજનમાં દાતાઓ લાભાર્થી  બની રહ્યા છે. પૂ. ધીરગુરૂદેવ પ્રેરિત 50 પુસ્તકનો  સેટ  અલ્પમૂલ્યમાં ઉપલબ્ધ છે. પર્યુષણ પ્રવચનધારાનું યુ-ટયુબમાં ધીર પ્રવચનધારા ચેનલમાં લાઈવ પ્રસારણ  સવારે  9.30 થી 11 અને સોહમ્ ચેનલમાં રાત્રે 10 થી 11 કલાકે પ્રસારણ માસ્વામીની  પ્રેરણાથી કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.