Abtak Media Google News

ભગવાન શિવની આરાધના કરવા માટે મહાશિવરાત્રી એ ઉતમ ગણવામાં આવે છે. આ દિવસે શિવાલયો મહાદેવ હરના નારા સાથે ગુંજી ઉઠે છે ત્યારે મહાદેવ હરના શિવાલયમાં ગુંજતા નારા ક્રિષ્ના ઈન્ટરનેશનલ સ્કુલમાં પણ સંભળાયા હતા. ક્રિષ્ના ઈન્ટરનેશનલ સ્કુલ ત્રંબા ખાતે વિદ્યાર્થીઓ દ્વારા મહાશિવરાત્રી નિમિતે વિશેષ પુજા કરવામાં આવી હતી. મહાશિવરાત્રી હોવાથી વિદ્યાર્થીઓએ સ્વયં શિવલીંગ બનાવી એની પુજા કરી હતી તથા મહાદેવની ભવ્ય ભસ્મ આરતી ઉતારી હતી સાથે સાથે વિદ્યાર્થી દ્વારા સુંદર શિવ તાંડવ નૃત્ય રજુ કરવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.