Abtak Media Google News

જન કલ્યાણ ફાઉન્ડેશન સુરેન્દ્રનગર તથા ઝાલાવાડ વોટસએપ ગ્રુપના સંયુક્ત ઉપક્રમે સુરેન્દ્રનગર ખાતે ફરજ બજાવી ગયેલ તત્કાલીન ટ્રાફિક પીએસઆઇ અને હાલ કલોલ પોલીસ ઇન્સ્પેક્ટર એલ.ડી.વાઘેલાનો સ્નેહમિલન સત્કાર સમારંભ શહેરના રોટરી હોલ ખાતે યોજાયેલ જેમાં નગરપાલિકાના પ્રમુખ વિપીનભાઈ ટોલિયા વઢવાણ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય ધનરાજભાઇ કેલા સુરેન્દ્રનગર ટ્રાફિક પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.આર.સોનારા તેમજ શહેરના વેપારી ભાઈઓ સામાજિક અગ્રણીઓ ટ્રાફિક પોલીસના જવાનો ટ્રાફિક બ્રિગેડના જવાનો વગેરેની હાજરીમાં મહાનુભાવો દ્વારા એલ.ડી.વાઘેલાને સન્માન પત્ર આપી તેમનુ સન્માન કરવામાં આવેલ.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જન કલ્યાણ ફાઉન્ડેશનના પ્રમુખ સુમિત ઉમરાણીયા, સભ્ય ગણેશભાઇ ખાંદલા, દલસુખભાઈ મકવાણા, રાજુભાઈ ઉપાધ્યાય, ભરતભાઈ વાંઢાળા, રેખાબેન પીઠવા તથા ઝાલાવાડ વોટસએપ ગ્રુપના મેમ્બર કેતનભાઇ શાહ વગેરેએ ભારે જહેમત ઉઠાવેલ હતી.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.