Abtak Media Google News

રાજકોટ શહેરના નાગેેશ્વરની પરિણીતાને પતિએ શંકા કરી સ્યુસાઇડ નોટ ફેશબુક પર વાયરલ કરી બદનામ કર્યાના આક્ષેપ સાથે અને સરદાર સોસાયટીની પરિણીતાને દહેજના કારણે પતિ, સાસુ, સસરા અને નણંદ દ્વારા  ત્રાસ અપાયાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

નાગેશ્વરમાં રહેતી બિન્દીબેને ભક્તિનગર સ્ટેશન ખાતે રહેતા પતિ હેમલ, મામાજી સસરા કિશોરભાઇગીરધરભાઇ અને કુટુંબી દિયર પરેસ વસાણી દ્વારા શારિરીક અને માનસિક ત્રાસ અપાયાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

સરદાર સોસાયટીની પરિણીતાને દહેજના કારણે પતિ, સાસુ, સસરા અને નણંદનો ત્રાસ

બિન્દીબેન અને હેમલભાઇના પુન: લગ્ન છે. બિન્દુબેનના પ્રથમ પતિની પુત્રીને માર માર્યાની, પોતાના નામે  લોન લીધા બાદ હપ્તા ન ભર્યાની અને પોતે આપઘાત કરતા હોવા અંગેની સ્યુસાઇડ નોટ ફેશબુક પર વાયરલ કરી બદનામ કર્યા અંગેના આક્ષેપ ફરિયાદમાં કર્યા છે.

હરી ધવા માર્ગ પર આવેલા સરદાર સોસાયટીની પરિણીતાને દહેજમાં રોકડ, સોનાના ઘરેણા અને કાર આપી હોવા છતાં વધુ દહેજની માગણી કરી ત્રાસ દેવાતા હોવાની અને પતિને પરસ્ત્રી સાથે સંબંધ હોવાના ફરિયાદમાં આક્ષેપ કરાયા છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ હાલ રિલાયન્સ મોલ પાછળ ગુલાબ વાટીકામાં પિયર રહેતી અને એલએલબી સુધીનો અભ્યાસ કરેલી ક્રિષ્નાબેન શુભમભાઇ આંબલીયા નામની 30 વર્ષની પટેલ પરિણીતાએ પોતાના પતિ શુભમ દિનેશભાઇ આંબલીયા, સસરા દિનેશભાઇ પાંચાભાઇ આંબલીયા, સાસુ રસીલાબેન આંબલીયા અને નંણદ આયુષીબેન આંબલીયા સામે શારિરીક અને માનસિક ત્રાસ દઇ કાઢી મુકયા અંગેની મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

ક્રિષ્નાબેનના લગ્ન જ્ઞાતિના રીત રિવાજ મુજબ ગત તા.1-12-21ના રોજ થયા હતા ત્યાર બાદ પોતાના પતિ દિનેશ આંબલીયાના મોબાઇલમાં પરસ્ત્રીના મેસેજ વાચતા તે અંગે પૂછતા પતિ દિનેશે આ અંગે કંઇ વાત ન કરવા જણાવ્યું હતુ.ં જ્યારે સાસુ અને સસરા તારા કરતા ઉચી અને રુપાળી છોકરી લાવશુ તેમ કહી ત્રાસ દેતા, તેને ઝેરી દવા પીવડાવી  દેવી છે તેમ કહી નણંદ ત્રાસ દેતા તેમજ કરિયાવરમાં સોનાના ઘરેણા, રોકડ અને કાર આપી હોવા છતાં વધારે દહેજની માગણી કરી હેરાન કરતા તેમજ સસરા દિનેશભાઇ આંબલીયા તારા માતા-પિતા હલકટ છે દિકરીને સાસરીયામાં મોકલીવી હોય તો દહેજ અને પૈસા આપવા પડે તેમ કહી હેરાન કરતા હોવાના ફરિયાદમાં આક્ષેપ કર્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.