Abtak Media Google News

આંબેડકર ભવન ખાતે વૃક્ષારોપણ

ગીર-સોમનાથનાં આજોઠા ખાતે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તેમજ તાલાળાના યુવા ધારાસભ્ય ભગવાનભાઈ બારડની અધ્યક્ષતામાં વેરાવળ તાલુકા કોંગ્રેસ સમિતિ તથા સુત્રાપાડા તાલુકા કોંગ્રેસ સમિતિનાં સંયુકત ઉપક્રમે સ્વ.રાજીવ ગાંધીની ૭૬મી જન્મજયંતી નિમિતે વૃક્ષારોપણ સાથે પુષ્પાંજલી અર્પિત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.  આ કાર્યક્રમમાં સુત્રાપાડા તાલુકા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઈ જાદવ, વેરાવળ તાલુકા કોંગ્રેસ ઉપપ્રમુખ હિરેનભાઈ બામરોટીયા, વેરાવળ શહેર કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઈ રાયઠ્ઠા, જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા નારણભાઈ મેર, મેરૂભાઈ પંપાણીયા, દેવાતભાઈ (ભગત), વલ્લભભાઈ માકડીયા, ભગુભાઈ વાળા, બળવંતભાઈ પરમાર, વશરામભાઈ સોલંકી, કાળાભાઈ મકવાણા, મનસુખભાઈ મકવાણા, આજોઠાના સરપંચ વીરાભાઈ તથા ગ્રામ પંચાયતના સભ્યો તેમજ કોંગ્રેસ મહિલા અગ્રણીઓ ઉષાબેન કુસકીયા, યાસ્મીનબેન ચૌહાણ, કાજલબેન ભજગોતર, નઝમાબેન પંજા, કાજલબેન લાખાણી સહિતની મહિલા અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહી નિયમોના પાલન સાથે પુષ્પાંજલી અર્પિત કરી હતી.

સુત્રાપાડા શહેર કોંગ્રેસ પરિવાર દ્વારા આંબેડકર ભવન ખાતે સ્વ.રાજીવ ગાંધીની જન્મજયંતી નિમિતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સુત્રાપાડા નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા દેવશીભાઈ કામળીયા તેમજ રામભાઈ વાણવી, ભીમભાઈ સોલંકી, સુભાષભાઈ સોલંકી વગેરે લોકો ઉપસ્થિત રહીને જન્મ જયંતી ઉજવવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.