Abtak Media Google News

ડીવાયએસપી અને એલસીબીનો સ્ટાફ દોડી જઇ અજાણ્યા હત્યારાની શોધખોળ હાથ ધરી

તાલાલા તાલુકામાં હત્યાનો વધુ એક બનાવ પામ્યો છે. જશાપુર-ગીર ગામના સ્મશાનમાં રસુલપરાના યુવાનની હત્યા થઈ છે. જેથી પોલીસ સ્થળ પર પહોંચી હતી અને હત્યારાઓનું પગેરૂ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવી હતી.

Advertisement

આ અંગેની મળતી વિગત મુજબ જશાપુર-ગીર ગામના સ્મશાનની છાપરી નીચે અજાણ્યા પુરુષની લાશ પડી હોવાની જાણ થતા તાલાલા પોલીસનો કાફલો સ્થળ ઉપર દોડી ગયો હતો. પ્રાથમિક કપાસમાં મૃતક રસુલપરા ગામના અકરમ ઉર્ફે સુસો મુસાણી ઉ.વ.32 નામનો યુવાન હોવાનું જણાયુ હતું. મરનારના માથા ઉપર કોઈએ પથ્થરનો ઘા ઝીંકી તેની હત્યા કરી હોવાનું જણાતા પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યો હતો.મૃતક યુવાન સવારે 9 વાગ્યે માધુપુર ગામના એક ગેરેજની દુકાને જોવા મળ્યો હતો.

બાદમાં માધુપુર થી જસાપુર ગામે આવ્યો હોય સવાર દરમિયાન કોઈ અજાણ્યા શખ્સોએ ધોળા દિવસે હત્યા કરી હોવાનું ખુલ્યું હતું. મૃતક દારૂ પીવાની ટેવ ધરાવતો હોવાની હકીકત મળી રહી છે.તાલાલા વિસ્તારમાં વધુ એક માનવ હત્યા ની ઘટનાથી વેરાવળના ડીવાયએસપી અને એલસીબી સ્ટાફ જશાપુર ખાતે દોડી ગયો હતો અને હત્યાનો ભેદ ઉકેલવા વધુ તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.