Abtak Media Google News

હળવદના રણછોડગઢ ગામની સીમમાં વૃઘ્ધની નિમર્મ હત્યા નીપજાવી ફરાર ઇસમને ઝડપી લેવા પોલીસે ચલાવેલી તપાસમાં આરોપીની વાડી વિસ્તારમાં છુપાયો હોય જયાંથી ઝડપી લઇને આરોપીની વધુ પુછપરછ ચલાવી છે. બનાવની પ્રાપ્ત વિગતો મુજબ છ દિવસ પૂર્વ રણછોડગઢ ગામની સીમમાં માવુંભાઇ રાજપુત (ઉ.વ.૬પ) રહે. ચરાડવા વાળા વૃઘ્ધની કુહાડીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હોય અને હત્યા બાદ વાડીમાં જ મજુરી કરતો વિનોદ  હીરાભાઇ રાઠવા નામનો શખ્સો ગુમ થઇ જતા તેના પર શંકાની સોય હોય જેની પોલીસે શોધખોળ ચલાવી હતી.

Advertisement

હત્યાના ગુન્હાનો ભેદ ઉકેલવા એસપી ડો. કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ હળવદ પી.આઇ. એમ.આર.સોલંકી અને તેની ટીમે તપાસ ચલાવી હતી જેમાં આરોપી વિનોદ રાઠવા રાયધ્રા ગામની સીમમાં છુપાયો હોવાની બાતમીને આધારે તેને દબોચી લેવાયો છે. અને આરોપીની વધુ પુછપરછ ચલાવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.