Abtak Media Google News

બગસરામાં આદપુર બાયપાસ પાસે ભરવાડ સમાજના કુળદેવી મચ્છુ માતાજીનું મંદીર આવેલ છે. આ મંદીરમાં છ વર્ષ પહેલા દેવીપુજક પ્રવિણ શામજી સોલંકી ઘરેણા અને માતાજીમાં ચાંદીના છતર લઇને ફરાર થયેલ હતો.

જેને હાલ બગસરા પોલીસ પી.એસ.આઇ. એમ.એ. મોરી, હેડ કોન્સ્ટે. મધુભાઇ અને કોન્સ્ટે. કનુભાઇ એ પેટ્રોલીગ દરમીયાન સુડાવડ પાસેથી પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ આરોપી ધારી પેમપરાનો રહેવાસી હોવાનું માલુમ પડયું છે. વધુ તપાસ માટે પી.એસ.આઇ. એમ.એ.મોરીએ ચક્ર ગતિમાન કર્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.