Abtak Media Google News

તાજ મહેલ કોના ‘બાપ’નો?

વર્ષ 1968માં ઇનામદારી મિલ્કત તરીકે ઉભો થયેલો માલિકીનો વિવાદ હજુ પણ યથાવત

કચ્છ જિલ્લાના કાળો ડુંગર અને ધોળો ડુંગરની માલિકી અંગે લાંબા સમયથી પડતર મુકદ્દમાની સુનાવણી દરમિયાન કાર્યવાહક મુખ્ય ન્યાયાધીશ એ.જે.દેસાઈએ ઝાટકણી કાઢી હતી અને કહ્યું હતું કે, શું ઉત્તર પ્રદેશમાં તાજમહેલની માલિકીનો દાવો કરતી કોઈ અરજી પેન્ડિંગ છે? આ મુદ્દો એવો છે કે, 9 લોકોએ ખાવડા ગામના ઇનામદાર હોવાનો દાવો કર્યો હતો જેમને કચ્છના ઉત્તરમાં પચ્છમના પૂર્વ રાજવીઓ દ્વારા વિશાળ વિસ્તારની જમીન ભેંટ સ્વરૂપે આપવામાં આવી હતી તેવો દાવો કરવામાં આવ્યો હતો. ઇનામદાર એટલે કે રાજાશાહી સમયે બાર ખાલિદાર ગીરાસદારોને જે મિલ્કતો ભેંટ સ્વરૂપે આપવામાં આવતી હતી તેને ઇનામદારી મિલ્કત કહેવામાં આવતીકાલે હતી.

અપીલ સુનાવણી માટે આવી કે તરત જ બ્લેક હિલ્સની માલિકીનો દાવો કરનારા કચ્છના લગભગ 220 રહેવાસીઓનું પ્રતિનિધિત્વ કરતા વકીલે સ્થગિત કરવાની માંગ કરી હતી. કોર્ટે આ મુદ્દાની સુનાવણી હાલ પુરતી ટાળી દીધી છે.

કચ્છના રણ ખાતેની બે ટેકરીઓની માલિકીનો મુદ્દો 1968માં શરૂ થયો હતો જ્યારે નવ વ્યક્તિઓએ ભુજ મામલતદારનો સંપર્ક કરીને ટેકરીઓ સરકાર પાસેથી પરત મેળવવાનો દાવો કર્યો હતો.

તેમણે ખાવડા ગામના ઇનામદાર હોવાનો દાવો કર્યો હતો જેમને કચ્છના ઉત્તરમાં પચ્છમના પૂર્વ રાજવીઓ દ્વારા વિશાળ વિસ્તારની જમીન આપવામાં આવી હતી. જેમાં જુના, ધોરાવર, રબવિયારી, કુમરીયા, ગનીપોર, તુંગા, કુતરી અને ધ્રોબાણા એમ આઠ ગામોના નકશામાં કાલો ડુંગર અને ધોલો ડુંગરના સર્વે નંબરોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

તેઓએ દાવો કર્યો હતો કે બોમ્બે ઇનામ (કચ્છ વિસ્તાર) નાબૂદી અધિનિયમની કલમ 10 હેઠળ જમીનની માલિકી સરકારને આપી શકાતી નથી કારણ કે બંને ટેકરીઓ પર વૃક્ષો અને ઘાસ હતા અને તેથી તેઓ ‘રખાલ’ છે.

1971 અને 1983 ની વચ્ચે મામલતદાર દ્વારા ત્રણ વખત વિવાદનો નિર્ણય લેવામાં આવ્યો હતો કારણ કે ગુજરાત રેવન્યુ ટ્રિબ્યુનલ (જીઆરટી) એ આ બાબતને વારંવાર પુનઃસુનાવણી માટે સત્તાધિકારીને સોંપી હતી. 1982માં મામલતદારે જણાવ્યું હતું કે ટેકરીઓની માલિકી સરકાર પાસે છે. ખાનગી પક્ષોએ મદદનીશ જિલ્લા કલેક્ટર સમક્ષ દાવાને પડકાર્યો અને તેમની અપીલ 1989માં ફગાવી દેવામાં આવી. તેઓએ 1990માં જીઆરટીનો સંપર્ક કર્યો, જેણે 1993માં તેમની તરફેણમાં ચુકાદો આપ્યો હતો.

ટ્રિબ્યુનલે ખાનગી વ્યક્તિઓને બે ટેકરીઓના માલિક તરીકે રાખ્યા હોવાથી સરકારે 1995માં હાઈકોર્ટનો સંપર્ક કર્યો. લગભગ 15 વર્ષ પછી 2010માં, હાઈકોર્ટે કહ્યું કે આ વિસ્તારને વન્યજીવ અભયારણ્ય જાહેર કરવામાં આવ્યો છે અને ખાનગી માલિકી અંગેના કોઈપણ દાવા માટે અરજીના બે વર્ષમાં વન્યજીવન અધિનિયમ હેઠળ નિયુક્ત સત્તાધિકારી દ્વારા નિર્ણય લેવામાં આવે છે.

હાઇકોર્ટે દાવેદારોને પ્રક્રિયા હાથ ધરવા કહ્યું અને તંત્રને છ મહિનામાં નિર્ણય લેવાનો નિર્દેશ આપ્યો. 2016માં હાઈકોર્ટે કહ્યું હતું કે ખાનગી પક્ષો ભૂતકાળના રેકોર્ડના સ્વરૂપમાં તેમની માલિકીના પુરાવા રજૂ કરી શકતા નથી. હાઈકોર્ટે ચુકાદો આપ્યો હતો કે બંને ટેકરીઓ તેથી રાજ્ય સરકારને સોંપવામાં આવી છે. ખાનગી પક્ષો જેમની સંખ્યા નવથી વધીને 220 થઈ છે, તેઓએ 2017માં ડિવિઝન બેન્ચ સમક્ષ અપીલ કરી હતી કે તેઓ કચ્છની બ્લેક હિલ્સની માલિકી ધરાવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.