Abtak Media Google News

મહારાષ્ટ્રના પુણે પાસે ભીમા કોંરેગાંવમાં થયેલી હિંસાની આગ ગુજરાત સુધી પહોચી છે. બુધવારે ધોરાજીમાં દલિત સંગઠનોએ એસટી બસ સળગાવી હતી. સુરતમાં ટ્રેનો રોકવામાં આવી. વાપીમાં હાઈવે પર ચક્કાજામ કરાયો. ગુજરાતની 46 ST બસ અટકાવી દેવાઈ. ઉપલેટા, જામનગર, અમદાવાદ, ગાંધીનગરના રૂટ બંધ કરવાની ફરજ પડાઈ હતી. ત્યારે બીજા દિવસે પણ જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં તેની અસર જોવા મળી હતી. દલિત સંગઠનોએ રેલી કાઢી હતી અને સુત્રોચ્ચાર કર્યો હતો. તો બંધની અસરને પગલે બસ વ્યવહાર અને પેટ્રોલપંપ બંધ રાખવામાં આવ્યા હતા.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.