Abtak Media Google News

લીલાપર ચોકડીથી કંડલા બાયપાસ સુધી મોટી કેનાલ ઉપર આરસીસી વર્ક કરી રસ્તો બનવવા એનઓસી માંગવામાં આવ્યા

મોરબીમાં લીલાપર ચોકડીથી લઈ રવાપર રોડ અને કંડલા બાયપાસ સુધીની કેનાલ ઉપર આરસીસી વર્ક કરી રોડ બનાવવા માટે નગરપાલિકા દ્વારા મંજૂરી માંગવામાં આવી છે.
મોરબી શહેરમાં દિવસે દિવસે વધી રહેલી ટ્રાફિક સમસ્યાને ધ્યાને લઇ નગર પાલિકા દ્વારા કાર્યપાલક ઇજનેર સિંચાઈ વિભાગને દરખાસ્ત કરી લીલાપર રોડથી રવાપર રોડ અને ત્યાંથી કંડલા બાયપાસ સુધી આવેલી મોટી કેનાલ ઉપર આરસીસી વર્ક કરી રસ્તો બનવવા જણાવાયું છે.
વધુમાં પાલિકા દ્વારા લેખિત રજુઆત કરી જણાવ્યું હતું કે આ માર્ગ ઉપર ટ્રાફિક વધુ પ્રમાણમાં રહેવાની સાથે સાથે અહીં માનવ વસાહત વધી હોય ઢોર ઢાખર અને અનેક રાહદારીઓ કેનાલમાં અકસ્માતે પડી જતા હોય સત્વરે આ કેનાલ ઉપર છત ભરી રાહદારીઓને પડતી મુશ્કેલી દૂર કરવા માંગ ઉઠાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.