Abtak Media Google News

ભારત દેશ આજે દુનિયાનો સૌથી યુવા દેશ છે. ભારતની વસ્તીનાં ૫૫ ટકા થી વધારે તરૂણ-તરૂણીઓ અને યુવાનો છે.તરૂણાવસ્થા જીવનની એક મહત્વની વિશિષ્ટ અવસ્થા છે.જેનું મહત્વ સૌએ સ્વીકારવું જોઈએ તરૂણાવસ્થાએ જીવનનો હકારાત્મક,શકયતાઓ અને ક્ષમતાઓથી ભરેલો સમયગાળો છે.

Advertisement

આજના તરૂણ-તરૂણીઓ પોતાના શારીરિક,માનસિક અને સંવેગિક પરિવર્તનોને સમજે અને મનમાં પેદા થતા પ્રશ્ર્નોનું વૈજ્ઞાનિકો માર્ગદર્શન મેળવે પોતાની શરીર રચના અને તેનાં કાર્યોથી વાકેફ થાય અને પોતાની જાતને જાણે અને સમજે તે અગત્યનું છે.તેઓ પોતાની તંદુરસ્તી કેલવે અને જાળવે.જીવનમાં સતત આગળ વધવા શિક્ષણ ખુબજ જરૂરી છે.તે સમજે જીવનની સતત ગુણવતા જાળવવા તેવો સ્વચ્છતાનું મહત્વ સમજે અને પર્યાવરણનું જતન કરતાં થાય તેઓ વ્યસનમુકત બને અને નશીલા દેવ્યોથી દુર રહી પોતાના જીવનનો વિકાસ કરે ભૃણહત્યા અટકાવી બેટીઓને બચાવે.

7537D2F3 11

સ્ત્રી દાક્ષિણ્ય અને સ્ત્રી સશકિતકરણના આયુગમાં દિકરો-દિકરી એક સમાન અને બંનેને સરખી તકો મળે અને આગળ વધે,એચ.આઈ.વી-એઈડ્સ જેવા અસાધ્ય રોગો અંગે જાગૃત બને તેઓ પોતાના આરોગ્યની જાળવણી માટે હકાત્મક વિચાર સરણી અપનાવી સમતોલ આહાર અને ધ્યાન, પ્રાર્થના, કસરત, યોગ તેમજ પ્રાણાયામ કરી પોતાનું જીવન ધન્ય બનાવે.તરૂણ-તરૂણીઓ અને યુવાનો અભ્યાસમાં એકાગ્રતા કેળવી જીવનમાં આગળવધે તેઓ અભ્યાસિક,સહઅભ્યાસિક પ્રવૃતિમાં ભાગલે.રમતગમતમાં ભાગલે આમ તેમનામાં ગુણવત્તા લક્ષી કૌશલ્યોનો વિકાસ થાય, તો તેમનો સર્ંવાગી વિકાસ થાય.આમ જોવા જોઈએ તો તરૂણ-તરૂણીઓ હેન્ડલવીથ કેર જેવા છે.તેમને સાચવવા અને કેળવવાનાં છે.એટલે કહેવાય છે કે યૌવન એટલે વિજનો તલખો,ઝબકે તો અજવાળું નહીં તો ભડકો.પવર્તમાન સમય તરૂણ-તરૂણીઓ પોતે સમજે, વાલીઓ પોતાનાં સંતાનોને સમજે,શિક્ષકો વિદ્યાર્થીને સમજે અને તેમનામાં પેદાથતી સમસ્યાઓનું વૈજ્ઞાનિક માર્ગદર્શન ન કરે તરૂણો-કિશોરો પોતાના જીવનમાં વિવિધ પ્રવૃતિઓ અને કૌશલ્યો દ્વારા જીવનમાં અજવાળું કરે અને બીજાને પણઅલોકમય બનાવે.

તરૂણાવસ્થાને જીવનની હકાત્મક અને શકયતાઓથી ભરેલી શકિત શાળી અવસ્થા છે.આ અવસ્થાને સમસ્યા‚પ કે કઠિન તરીકે છાપ પાડવી જોઈએ નહી તેમજ નકારાત્મક દષ્ટિકોણ થી જોવી જોઈએ નહી.તરૂણો માટે શિક્ષણ પવર્તમાન,સતત બદલાતી જીવન શૈલી,હકીકતોનો સમજે અને તેનાં પર ચર્ચા કરે તેવું હોવું જોઈએ શિક્ષકોએ પણ પોતાની માન્યતાઓ ભુલી નવી પદ્ધતિ પ્રમાણે આ અભ્યાસક્રમના એકજ-તરૂલ્ય શિક્ષણમાં સરકારક પ્રત્યાયન કરવું જરૂરી છે.વિશ્ર્વ આરોગ્ય સંસ્થાની વ્યાખ્યા પ્રમાણે ૧૦ થી ૧૯ વર્ષની વ્યકિતઓ કિશોર તરીકે, ૧૦ થી ૨૪ વર્ષની વ્યકિતઓ યુવાન તરીકે અને ૧૫ થી ૨૪ વર્ષની વ્યકિતઓ યુવા તરીકે ઓળખાય છે.૧૫ થી ૨૪ વર્ષ ધરાવતાં યુવા વર્ગમાંથી ૮૩ ટકા યુવા પુરૂષો અને ૭૮ ટકા યુવામહિલાઓ તેમનાં માટે પારિવારીક જીવન શિક્ષણ મહત્વનું નેશનલ ફેમીલી હેલ્થ સર્વેમાં જણાવ્યા મુજબ આજનાં યુવા વર્ગને એચ.આઈ.વી.સામેના રક્ષણ માટેની પુરતી માહિતીથી વાકેફ હોતા નથી.તેમજ ભારતમાં ૧૫ થી ૨૪ વર્ષનવયજુથનાં એચ.આઈ.વી.ના શિકાર વધુ બન્યા છે.જાહેર સ્થળો પર, શિક્ષણની સંસ્થાઓમાં, ઘરની આસપાસ અને કામ કરવાની જગ્યાએ જાતીય સલામણી થાય છે તે હકિકત છે.કિશોર સાથે થતાં દુરવ્યવહાર, ગુંડાગીરી અને રેગીંગ જેવી પ્રવૃતી થઈ રહી છે.

ભારત પાસે ઘણો મોટો માનવ સંશાધન છે, દેશે યુવાનોની તંદુરસ્તી અને તેમની ક્ષમતાઓને બહાર કાઢી વિકાસ કરવા માટે સતત અને પ્રગતિશીલ મુડી રોકાણ કરવું જ પડશે.જીવન કૌશલ્યની એક સામાન્ય સંકલ્પનાની સમજનો વિકાસ કરવો તેનું અમલીકરણ અને તારૂણ્ય શિક્ષણ ગર્ભિત હેતું જીવન કૌશલ્યના વિકાસ તરીકેની સમજ આપવી તેવો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.