Abtak Media Google News

શિક્ષણ મંત્રી કુબેરભાઇ ડીંડોર, શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઇ પાનસેરિયા, મુખ્ય સચિવ રાજકુમાર, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે.કૈલાસનાથન, વરિષ્ઠ સચિવોની ઉપસ્થિતિ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગુરુવારે, એક ઉચ્ચ-સ્તરીય બેઠક યોજાઈ હતી. જેમાં, શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવેલા પ્રેઝન્ટેશન અને રજુઆતો સંદર્ભે સમીક્ષા હાથ ધરીને કેટલાક મહત્વના નિર્ણયો લેવાયા છે. આ નિર્ણયોનો અમલ શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪થી કરવામાં આવશે.

વર્ણનાત્મક પ્રશ્નોનું પ્રમાણ ૮૦ ટકાને બદલે ૭૦ ટકા કરવામાં આવશે, વર્ણનાત્મક પ્રશ્નોમાં આંતરિક વિકલ્પને બદલે તમામ પ્રશ્નોમાં જનરલ વિકલ્પ અપાશે: નિર્ણયોનો અમલ શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪થી કરવામાં આવશે

શિક્ષણ વિભાગ દ્વારા આ સંદર્ભના જરૂરી ઠરાવો બહાર પાડવામાં આવ્યા છે. સામાન્ય રીતે ધોરણ-10-12ની બોર્ડની પરીક્ષામાં આશરે 5 લાખ જેટલા વિદ્યાર્થીઓ નપાસ થાય છે અને તેમાંથી લગભગ 2.50 લાખ જેટલા વિદ્યાર્થીઓ પુનઃ પરીક્ષા આપે છે તેમને સરકારના આ નિર્ણયોથી મોટો લાભ થશે. આ મુજબ ધો-૧૨ વિજ્ઞાન પ્રવાહની તમામ વિષયોની પુનઃપરીક્ષા જુન-જુલાઇ માસમાં યોજાશે ધો-૧ર વિજ્ઞાન પ્રવાહમાં ઉત્તિર્ણ થયેલા વિદ્યાર્થીઓ પોતાનું પરીણામ સુધારવા ઈચ્છે તો તમામ વિષયોની અથવા તે ઇચ્છે તેટલા વિષયોની પુનઃ પરીક્ષા આપી શકશે આ બન્ને પરીક્ષાામાંથી જે પરીક્ષાનું પરિણામ વધારે હશે, તેને ગ્રાહ્ય રાખવાનો પણ નિર્ણય કરાયો છે.ધો-૧૦માં હાલ નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે બે વિષયોની પૂરક પરીક્ષા લેવાય છે.

તેના બદલે ત્રણ વિષયોની પૂરક પરીક્ષા લેવાશે, ધો-૧૨ સામાન્ય પ્રવાહમાં હાલ નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે એક વિષયની પૂરક પરીક્ષા લેવાય છે તેના બદલે બે વિષયોની પૂરક પરીક્ષા લેવાશે, ધો-૧૦ અને ધો-૧૨ સામાન્ય પ્રવાહની બોર્ડની પરીક્ષામાં હેતુલક્ષી પ્રશ્નોનું પ્રમાણ હાલ ર૦ ટકા છે, તેને બદલે ૩૦ ટકા અને વર્ણનાત્મક પ્રશ્નોનું પ્રમાણ ૮૦ ટકાને બદલે ૭૦ ટકા કરવામાં આવશે, વર્ણનાત્મક પ્રશ્નોમાં આંતરિક વિકલ્પને બદલે તમામ પ્રશ્નોમાં જનરલ વિકલ્પ અપાશે, ધો-૧૨ વિજ્ઞાન પ્રવાહની બોર્ડની પરીક્ષામાં ૫૦ ટક. એમસીક્યુ યથાવત રાખવા અને પ૦ ટકા વર્ણનાત્મક પ્રશ્નોમાં આંતરિક વિકલ્પને બદલે તમામ પ્રશ્નોમાં જનરલ વિકલ્પ આપવાનો નિર્ણય પણ કરાયો છે.

ત્રણ વિષયોની પુરક પરીક્ષા લેવાશે

મુખ્યમંત્રીએ શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવેલા પ્રેઝન્ટેશન અને રજુઆતો સંદર્ભે સમીક્ષા હાથ ધરીને જે નિર્ણયો કર્યા છે તેમાં, ધો-12 વિજ્ઞાન પ્રવાહની તમામ વિષયોની પુનઃપરીક્ષા જુન/જુલાઇ માસમાં યોજવા. ધો-12 વિજ્ઞાન પ્રવાહમાં ઉત્તિર્ણ થયેલ વિદ્યાર્થીઓ પોતાનું પરીણામ સુધારવા ઈચ્છે તો તમામ વિષયોની અથવા તે ઇચ્છે તેટલા વિષયોની પુનઃ પરીક્ષા આપી શકશે. બન્ને પરીક્ષાામાંથી જે પરીક્ષાનું પરીણામ વધારે હશે તે ગ્રાહ્ય રાખવામાં આવશે. ધો-10 માં હાલ અનુર્તીણ થયેલ વિદ્યાર્થીઓ માટે બે વિષયોની પુરક પરીક્ષા લેવાય છે તેના બદલે ત્રણ વિષયોની પુરક પરીક્ષા લેવાશે. ધો-12 સામાન્ય પ્રવાહમાં હાલ અનુર્તીણ થયેલ વિદ્યાર્થીઓ માટે એક વિષયની પુરક પરીક્ષા લેવાય છે તેના બદલે બે વિષયોની પુરક પરીક્ષા લેવાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.