Abtak Media Google News

કેબિનેટમંત્રી જયેશભાઈ રાદડીયા સહિતના મહાનુભાવ રહ્યા ઉપસ્થિત

રાદડીયા પરિવાર સ્નેહમીલનનું રાજકોટ રાદડીયા પરિવાર સમિતિ દ્વારા આયોજન કરવામા આવ્યું હતુ જેમાં મુખ્ય મહેમાન તરીકે કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડીયાએ હાજરી આપી હતી.

Vlcsnap 2020 01 06 08H36M38S636

આ સ્નેહમિલનમાં રાદડીયા પરિવારના બાળકો જે વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લીધેલો હતો તેને શિલ્ડ આપી સન્માનીત કરવામા આવ્યા અને વિવિધ ક્ષેત્ર સાથે જોડાયેલા પરિવારના પ્રતિષ્ઠીત વ્યકિતઓને સન્માનીત કરવામાં આવ્યા હતા.

Vlcsnap 2020 01 06 08H34M34S027

રાકેશભાઈ રાદડીયાએ અબતક સાથેની વાતચીત કરતા જણાવ્યું હતુ કે રાદડીયા પરિવાર સ્નેહમિલનનું આયોજન રાજકોટ સમિતિ દ્વારા યોજવામાં આવ્યું છે.

અમારા સ્નેહમીલનમાં મુખ્ય મહેમાન તરીકે કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડીયાએ હાજરી આપી હતી. તે પણ અમારા પરિવારના સભ્ય છે. આવનારા દિવસોમાં અમારૂ રાદડીયા પરિવાર સમગ્ર ગુજરાતમાંથી એક મંચ  પર ભેગુ થાય તેવા પ્રયત્નો થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.