Abtak Media Google News

અરવિંદભાઈ મણીઆર  જનકલ્યાર ટ્રસ્ટ દ્વારા  સતત  37મા  વર્ષે ‘સુર તરંગ’ કાર્યક્રમનું  સુરીલુ આયોજન

ભાવિનભાઈ ‘શહેનશાહ-એ-સૂફીવાદ’ના ખિતાબથી  સન્માનિત; દેશ-વિદેશમાં ત્રણ હજારથી વધારે લાઈવ પ્રોગ્રામ કરી ખ્યાતિ મેળવી: સુરતના ભાવિન શાસ્ત્રી અને સાથી કલાકારો ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે

આધુનિક રાજકોટના સ્વપ્ન દૃષ્ટા , રાજકોટના પ્રથમ ચૂંટાયેલા મેયર , ધારાસભ્ય અને રાજકોટ નાગરિક સહકારી બેંક લિ . ના પૂર્વ ચેરમેન એમ અનેકવિધ પ્રકારની જવાબદારીઓ સફળતાપૂર્વક બજાવનાર અરવિંદભાઈ મણીઆરનો  આજે  જન્મદિવસ છે . તેમની સ્મૃતિમાં રચાયેલા  અરવિંદભાઈ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટના ઉપક્રમે પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ ગીત સંગીતના સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે . છેક 1985 થી સતત 37 વર્ષથી સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવાની પરંપરા આરંભાઈ છે અને અત્યાર સુધી એકધારી જળવાયેલી છે.

Advertisement

સુરતના ભાવિનભાઈ શાસ્ત્રી અને સાથી કલાકારો આ કાર્યક્રમ રજૂ કરશે . ભાવિનભાઈને ગુજરાતમાં ’ શહેનશાહ  એસૂફીવાદ ’ (સૂફી ગીતોના બાદશાહ) ના ખિતાબથી સન્માનિત કરવામાં આવ્યા છે . તેઓએ દેશ  વિદેશમાં ત્રણ હજારથી વધારે લાઈવ પ્રોગ્રામ કરી ખૂબ ખ્યાતિ મેળવી છે . વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં તેમણે પંદરથી વધારે લાઈવ પ્રોગ્રામ કરેલ છે , જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી , વાયબ્રન્ટ ગુજરાત વગેરે સામેલ છે . મુકેશભાઈ અંબાણી અને અમિતાભ બચ્ચન જેવી સેલિબ્રિટીઓ સમક્ષ પણ ભાવિનભાઈ પોતાની કલા રજૂ કરી ચૂકયા છે . આવા એક મહત્વના કલાકારનો લાભ રાજકોટના નગરજનોને પ્રથમવાર મળશે.

આજે રાત્રે 8 કલાકે હેમુ ગઢવી હોલમાં ’ સુર તરંગ ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે . કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને કર્ણાટકના પૂર્વ ગવર્નર વજુભાઈ વાળા રહેશે . અતિથિ વિશેષ તરીકે રાજયના પૂર્વ મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણી હાજરી આપશે . મુખ્ય મહેમાન પદે એનસીયુઆઈના ચેરમેન અને ગુજરાતના પૂર્વ મંત્રી દિલીપભાઈ સંઘાણી રહેશે.

અરવિંદભાઈના સાથી કાર્યકરોનું સન્માન કરવાનો ઉપક્રમ પણ ટ્રસ્ટ દ્વારા છેલ્લા દોઢેક દાયકાથી શરૂ કરવામાં આવ્યો છે . આ વર્ષે ઈશ્વરભાઈ ગોગિયા ( મરણોત્તર ) , મધુસૂદનભાઈ માણેક , પ્રબોધભાઈ મહેતા , રિશભાઈ જોશી અને નાગજીભાઈ પટેલનું શાલ તેમજ મોમેન્ટો આપી અભિવાદન કરવામાં આવશે.

કાર્યક્રમની સફળતા માટે અરવિંદભાઈ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી  ડો . વલ્લભભાઈ કથીરિયા , ટ્રસ્ટીઓ હંસિકાબેન મણીઆર , જ્યોતીન્દ્ર મહેતા , કલ્પકભાઈ મણીઆર અને શિવુભાઈ દવે , મહાસુખભાઈ શાહ ઉપરાંત પ્રોજેકટ ઈન્ચાર્જ જયંતભાઈ ધોળકિયા , નિલેશ શાહ , અશોકભાઈ પંડયા , લક્ષ્મણભાઈ મકવાણા , જહાનવીબેન લાખાણી , હસુભાઈ ગણાત્રા , રાજુલભાઈ દવે , પ્રભાતભાઈ ડાંગર , હરીશભાઈ શાહ , ગુણવંતભાઈ ભટ્ટ , રમેશભાઈ પરમાર , ભુપેન્દ્રભાઈ શાહ , ઈન્દ્રવદન રાજ્યગુરૂ , ભરતભાઈ અનડકટ , જગદીશભાઈ જોશી , કમલેશભાઈ મહેતા , અને સંજયભાઈ મોદી , મનીષભાઈ શેઠ , સંજયભાઈ ઓઝા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે .  રાજકોટની સંગીતપ્રેમી જનતાને સંગીત સંધ્યાનો આનંદ માણવા ટ્રસ્ટ દ્વારા હાર્દિક અનુરોધ કરવામાં આવે છે.

કાર્યક્રમ અનુસંધાને ભાવિન શાસ્ત્રી અને તેની ટીમે   ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ તકે વાતચીત  દરમ્યાન  તેઓએ જણાવ્યું હતુ કે  રાજકોટના વિકાસમાં  અરવિંદભાઈનું મોટુ યોગદાન રહ્યું. તેઓ તેમના  જીવનમાં  50 વર્ષ   આગળ રહ્યા.  તેમના માર્ગદર્શનમાં  શરૂ થયેલી  નાગરિક બેંક આજે પણ અડીખમ છે.  વાસ્તવમાં આ બેંક નાના માણસોની  મોટી બેંક છે. વધુમાં  રાજકોટ શહેર અને રંગીલા રાજકોટીયન્સ અંગે વાતચીત  કરતા જણાવ્યું હતુ કે રાજકોટની ભૂમિ પવિત્ર છે.  કોઈપણ  મહામુશ્કેલીઓ રાજકોટનો  વ્યકિત સૌ પ્રથમ બહાર આવે છે. કોરોના મહામારીમાં મોટી  સંખ્યામાં રાજકોટવાસીઓએ ઉદારહાથે  દાનની સરવાણી વહાવી ટુંકમાં અહી રજવાડુ જીવે છે તેમ કહેવામાં પણ કંઈ અતિશ્યોકિત નથી.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.