Abtak Media Google News

દેવદિવાળી બાદ રાજ્યભરમાં લગ્નસરાની પૂરજોશમાં સિઝન શરૂ થશે

આગામી શુક્રવારે દેવદિવાળીનો પવિત્ર તહેવાર છે ત્યારે આ દિવસે તુલસી વિવાહ સહિતના કાર્યક્રમો યોજાશે.કારતક સુદ અગિયારસને તારીખ 4 નવેમ્બરને શુક્રવારના દિવસે દેવદિવાળી છે. દેવદિવાળીને પ્રબોધિની એકાદશી પણ કહેવામાં આવે છે. દેવદિવાળીના દિવસથી ગંગા નદીનો પ્રવાહ તથા સમુદ્ર શાંતિ થાય છે એવી માન્યતા છે. આ દિવસે ઉપવાસ કરવાથી એક હજાર અશ્વમેધ યજ્ઞનું ફળ મળે છે તથા સો રાજસૂય યજ્ઞ કર્યાનું ફળ મળે છે તથા બધાજ પાપો નાશ પામે છે. દેવદિવાળીના દિવસે ખાસ કરીને તુલસી પૂજાનું તથા શાલિગ્રામની પૂજાનું મહત્ત્વ વધારે છે.

સવારના સમયે તુલસીજી સાથે શાલિગ્રામ રાખી તુલસીજીને ચૂંદડી ઓઢાડી પોતાના આંગણા અથવા અગાશી ઉપર રાખવા તેના ઉપર શેરડીના સાંઠાનો માંડવો કરવો, ભગવાનને કુદરતી લીલો મંડપ કરાતો હોવાથી શેરડીનો માંડવો જ શ્રેષ્ઠ ગણવામાં આવે છે તે ઉપરાંત શેરડી ધરવામાં આવે છે. શેરડીમાં ગળપણ હોવાથી તુલસી વિવાહ કરવાથી દાંપત્ય જીવનમાં પણ મીઠાશ આવે છે. અષાઢી સુદ અગિયારસના દિવસથી દેવતાઓ પોઢી જાય છે અને દેવદિવાળીના દિવસથી દેવતાઓ જાગે છે, આથી આ દિવસ બાદ લગ્ન જેવા શુભ પ્રસંગોની શરૂઆત થશે.

શાલિગ્રામ ઉપર વિષ્ણુ સહસ્ત્ર નામ બોલતા બોલતા તુલસીપત્ર ચડાવવા ઉત્તમ છે. તુલસી વિવાહ મુસીબતો દૂર થાય છે. માટે સાંજે પ્રદોષ કાળ શુભ સમય દેવદિવાળીમાં સાંજના 6.03 થી 8.38 સુધીનો છે. તુલસીવિવાહ કરવાથી ઘરમાં સુખ-શાંતિમાં વધારો થાય છે અને દાપત્ય જીવનમાં મીઠાશ આવે છે. જે કોઈ લોકોને પોતાની કુંવારી ક્ધયા મૃત્યુ પામી હોય તો તેની પાછળ પણ તુલસી વિવાહ કરાવતા હોય છે. દેવદિવાળીના દિવસે સાંજના સમયે તુલસીજી પાસે ચોખ્ખા ઘીનો દીવો કરી તુલસી તથા શાલિગ્રામનું પૂજન દેવદિવાળીનાં દિવસે કરી 108 અથવા તો 1000 વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ બોલી અને – 11 પ્રદક્ષિણા ફરવાથી જીવનની વિષ્ણુ ભગવાનનું ખાસ પુજન કરવામાં આવે છે. દેવતાઓની દિવાળી તરીકે પણ આ તહેવારને ઓળખવામાં આવે છે. શાલિગ્રામ સ્વરૂપ વિષ્ણુ ભગવાનની ષોડશોપચાર પૂજા કરવામાં આવે છે.

તુલસી વિવાહનો સમય સાંજના 6.03 થી 8.38 સુધી

દેવદિવાળી તુલસી વિવાહ નું મહત્વ દેવ દિવાળી તુલસી વિવાહ માં શું કરવું કારતક સુદ અગીયારશ ને શુક્રવાર ને તા 4 .11.22 દિવસે દેવદિવાળી છે .

દેવ દિવાળીને પ્રબોધીની એકાદશી પણ કહેવામાં આવે છે . દેવ દિવાળીના દિવસથી ગંગા નદીનો પ્રવાહ તથા સમુદ્ર શાંતિ થાય છે એવી માન્યતા છે . આ દિવસે ઉપવાસ કરવાથી એક હજાર અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે તથા સો રાજસૂય યજ્ઞ કર્યાનું ફળ મળે છે તથા બધાજ પાપો નાશ પામે છે.

તુલસી વિવાહ માટે જો શુભ સમય સાંજે પ્રદેશ કાળ શુભ સમય સાંજના 6.03 થી 8.38 સુધીનો છે.
દેવદિવાળીના દિવસે સાંજના સમયે તુલસીજી પાસે ચોખ્ખા ઘીનો દીવો કરી તુલસી તથા શાલીગ્રામ નું પૂજન કરી 108 અથવા તો 1000 વિષ્ણુસહસ્ત્ર નામના પાઠ બોલી અને 11 પ્રદક્ષિણા ફરવાથી . જીવનની મુસીબતો દૂર થાય છે.
સંકલન: શાસ્ત્રી રાજદીપ જોશી (વેદાંત રત્ન)

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.