Abtak Media Google News

જરૂરીયાત મંદોને બાર હજાર ચોપડા અને 150 કીટ અપાઈ

ઉપલેટામાં વિવિધ સેવાકીય  પ્રવૃત્તિ કરતું  જૈન જાગૃતી સેન્ટર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષ પણ રાહત ભાવે ચોપડાનું વિતરણ કરાયું હતુ.

બાપુના બાવલા ચોકમાં દર વર્ષની જેમ આ  વર્ષ પણ  જૈન જાગૃતી સેન્ટરનાભાઈઓ દ્વારા બાર હજાર ચોપડા  સારી કોલેટીના રાહત ભાવે  વિતરણ  કર્યા હતા. જયારે જરૂરીયાત મંદ પરિવારના  150 જેટલા વિદ્યાર્થીઓને કીટ વિનામૂલ્ય  અપાઈ હતી આ તકે જૈન જાગૃતીના પ્રમુખ અશોકભાઈ શેઠ મંત્રી રાજેશભાઈ કાલાવાડીયા, પૂર્વ ધારાસભ્ય છગનભાઈ  સોજીત્રા, કડવા પટેલ સમાજના પ્રમુખ ગોપાલભાઈ ઝાલાવડીયા પૂર્વ પ્રમુખ દાનભાઈ ચંદ્રવાડીયા સેવાભાવી સૂર્યાદય પેટ્રોલીયમ વાળા દિનેશભાઈ ડેર નગરપ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નિકુલભાઈ ચંદ્રવાડીયા વિવિધ સામાજીક સંસ્થાના આગેવાનો વેપારીઓ ઉપસ્થિત રહી આ કાર્યને બિરદાવેલ હતુ. આ કાર્યક્રમને સફળ બનાવવા જૈન જાગૃતી સેન્ટરના કારોબારીના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.