Abtak Media Google News

રાજ્યમાં વધી રહેલા હાર્ટ એટેકના કેસને લઈ આરોગ્ય વિભાગે માર્ગદર્શિકા બહાર પાડી છે. જે મુજબ ગરબાના સ્થળે આયોજકોએ ગ્રીન કોરિડોર ફરજિયાત તૈયાર કરવો પડશે. ઉપરાંત વિનામૂલ્યે આરોગ્યની ટીમ માટે એક સ્ટોલ ફાળવવો પડશે તથા ગરબાના સ્થળથી હોસ્પિટલ પહોંચવા માટે એમ્બ્યુલન્સ રાખવી પડશે. ગરબા સ્થળની હોસ્પિટલમાં એરાઉન્ડ ધ કલોક સારવાર મળે તેવી વ્યવસ્થા કરવા સૂચના અપાઈ છે. રાજ્યના દરેક કલેકટર, ડીડીઓ, મ્યુનિસિપલ કમિશનરને આરોગ્ય વિભાગની સૂચના આપવામાં આવી છે.

Advertisement

રાજ્યમાં હાર્ટએટેકનાં વધતા જતા કિસ્સાઓને લઈ આરોગ્ય વિભાગ સતર્ક: હૃદયરોગની તાત્કાલિક સારવાર માટે એમ્બ્યુલન્સ અને દવા તૈયાર રાખવા પણ આદેશ

આરોગ્ય વિભાગ દ્વારા રીવાઈઝ ગાઈડલાઈનન બહાર પાડવામાં આવી છે. રાજ્યમાં હાર્ટએટેકનાં વધતા જતા કિસ્સાઓને લઈ આરોગ્ય વિભાગ સતર્ક થયું છે. ત્યારે ગરબા આયોજકો દ્વારા આરોગ્ય વિભાગને વિનામૂલ્યે સ્ટોલ ફાળવવાનો રહેશે. તેમજ ગરબા સ્થળે ગ્રીન કોરીડોરની વ્યવસ્થા રાખવા પણ સૂચના આપવામાં આવી છે. તેમજ ગરબા આયોજકોએ કરેલી વ્યવસ્થાની આરોગ્ય વિભાગે જાણ કરવી પડશે.

હાર્ટ એટેકના વધતા કેસોને લઈ રાજ્ય સરકાર એક્શનમાં આવી છે. પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, નવરાત્રી દરમિયાન દરેક જગ્યાએ 108 એમ્બ્યુલન્સ હાજર રહેશે. દરેક ગરબા સ્થળોએ મેડિકલ ટીમ પણ હાજર રહેશે. તેમણે કહ્યું કે, લક્ષણો દેખાશે તો વ્યક્તિ પોતે તેને ગંભીરતાથી લે અને તાત્કાલિક બૉડી ચેકઅપ કરાવવું જોઈએ. ગરબાના મોટા આયોજનો બહાર આરોગ્યના પોઈન્ટ ઉભા કરાય. વધુમાં કહ્યું કે, ગરબા આયોજકોએ મેડિકલ કીટ પણ રાખવી પડશે. ગ્રામ્ય વિસ્તારોમાં પીએચસી અને સીએચસી સ્ટાફને એલર્ટ રખાશે.

આ સાથે સીપીઆર તાલીમ લીધેલા લોકોને ગરબા સ્થળે રાખવા માટેની પણ વ્યવસ્થા આયોજકોએ કરવાની રહેશે.જ્યારે બીજી તરફ હોસ્પિટલોમાં પણ સમયસર સારવાર મળી રહે તેના માટે તમામ સ્થાનો પર હોસ્પિટલમાં રાત્રીના 12 વાગ્યા સુધી હાજર રહેવાની સૂચના અપાશે. તેમજ ડૉક્ટરોની ટીમ પણ ઉપલબ્ધ રહે તેની કાળજી રાખવાની રહેશે. જ્યારે ભાજપના ડોકટર સેલના કાર્યકરો પણ ગરબા સ્થળે હાજર રહેશે તેવી પણ જોગવાઈ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.