Abtak Media Google News

જલારામ મંદિર હોલ ખાતે બપોરે 4થી સાંજે 7:30 સુધીનું આયોજન : વૈષ્ણવોને પધારવા ભાવભીનું આમંત્રણ

મોરબીમાં પ્રથમ વખત વૈષ્ણવચાર્ય પૂ. જયદેવલાલજી મહોદય ( કડી-અમદાવાદ)ના શ્રી મુખે તા.18 અને 19ના રોજ જલારામ મંદિર હોલ ખાતે ગોપી ગીતનો ભવ્ય કાર્યક્રમ યોજાવાનો છે. જેમાં પધારવા સર્વે વૈષ્ણવજનોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

જ્યારે ઠાકોરજી વેણુંનાદ કરે છે. ત્યારે એ વેણુનો અવાજ ગોપીઓના કાનમાં પડે છે. આ વેણુમાં ધ્વનિથી પોતાની સુધ-બુધ ગોપીઓ ખોઈ બેસે છે. અને કઈ જોયા વિના સીધી વનમાં દોટ મૂકે છે. ગોપીઓના આ વિરહને ગોપી ગીત કહે છે. આ ગોપી ગીતનો પ્રસંગ સાંભળવો ખરેખર એક લ્હાવો છે. આ ગોપી ગીતના કાર્યક્રમનું આયોજન મોરબીના અયોધ્યાપુરી રોડ ઉપર આવેલા જલારામ મંદિર ખાતે તા.18ને શનિવારે તેમજ તા.19ને રવિવારે બન્ને દિવસે બપોરે 4થી સાંજે 7:30 સુધી આયોજન કરવામાં આવ્યું છે.

આ ગોપી ગીતનું રસપાન વૈષ્ણવચાર્ય પૂ. જયદેવલાલજી મહોદય (કડી-અમદાવાદ) દ્વારા કરવામાં આવનાર છે. તેઓના સુમધુર કંઠે વિવિધ પ્રસંગોને આગવી શૈલીમાં રજૂ કરવામાં આવનાર છે. મોરબીના વૈષ્ણવજનો માટે ખાસ આયોજિત આ ગોપીગીતના કાર્યક્રમમાં પધારવા માટે જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. વધુ વિગત માટે મો.નં. 8238058111 અથવા 9924844965 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

રાજકોટ નજીક 10 એકર જગ્યામાં નિર્માણ પામશે શ્રીમદ્ વલ્લભાચાર્ય સંસ્કારધામ

વૈષ્ણવ સંપ્રદાયની યુવા પેઢીમાં સંસ્કારોનું સિંચન થાય અને તમામ ધર્મ પ્રેમી જનતાને પુષ્ટિ સમુદાયની ધાર્મિક જગ્યાઓના દર્શનનો લ્હાવો ઘર આંગણે જ મળી રહે તેવા ઉમદા આશયથી વૈષ્ણવાચાર્ય પૂ. જયદેવલાલજી મહોદયની આજ્ઞાથી શ્રીમદ્ વલ્લભાચાર્ય સેવા સંઘ ટ્રસ્ટ દ્વારા રાજકોટ નજીક તરઘડી પાસે 10 એકર વિશાળ જગ્યામાં શ્રીમદ્દ વલ્લભાચાર્ય સંસ્કારધામનું નિર્માણ કરવામાં આવનાર છે. જેમાં કાલે 24 એપ્રિલે પુરૂષોતમ મહાયજ્ઞ તથા ભવ્ય હવેલીનું ભૂમિપૂજન અને મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સંસ્કારધામમાં વિશાળ હવેલી, ભવ્ય ગિરિરાજજી, વૈષ્ણવ ગુરૂકુળ, ઓડિટોરિયમ, 84 બેઠકજીની ઝાંખી અને વ્રજની ઝાંખી સહિતના અનેક ધાર્મિક આકર્ષણો ઉભા કરાશે. આ ધાર્મિક કાર્યમાં દાતાઓને સહભાગી થવા ટ્રસ્ટ દ્વારા અપીલ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.