Abtak Media Google News

મોરબીના રફાળેશ્વર ગામમાં જુની અદાવતના કારણે તુ અવારનવાર અમારી શેરીમાંથી કેમ નીકળેશ તેમ કહી યુવાન પર ત્રણ શખ્સોએ પાઇપ વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

Advertisement

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે રહેતા ગજેન્દ્ર રમેશભાઈ બાંભણિયા નામનો 25 વર્ષનો યુવાન રાત્રિના દસેક વાગ્યાના અરસામાં પોતાના ઘર પાસે હતો ત્યારે અજય, સુલતાન અને અશોક નામના શખ્સોએ ઝઘડો કરી પાઇપ વડે માર માર્યો હતો.

હુમલામાં ઘવાયેલા યુવકને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ બનાવ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે મોરબી પોલીસને જાણ કરતાં મોરબી તાલુકા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો.

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યા મુજબ જૂની અદાવતના કારણે તું અવારનવાર અમારી શેરીમાંથી કેમ નીકળેશ તેમ કહીને ગજેન્દ્ર બાંભણિયાને માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આક્ષેપના પગલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.