Abtak Media Google News

સૌરાષ્ટ્રના બોલરો ગુજરાતના બેટ્સમેન પર હાવી થઇ જશે : કાલથી ખંઢેરીમાં પ્રથમ સેમી ફાઇનલ જંગ

રણજી ટ્રોફીના ઈતિહાસમાં પ્રથમવાર સેમીફાઈનલમાં ગુજરાતની ટીમને પરાસ્ત કરી ફાઈનલમાં પહોંચી ટાઈટલ જીતવાના બુલંદ ઈરાદા સાથે ઘરઆંગણે કાલે સૌરાષ્ટ્રની ટીમ મેદાનમાં ઉતરશે. એસસીએનાં ખંઢેરી સ્થિત સ્ટેડિયમ ખાતે આવતીકાલથી યજમાન સૌરાષ્ટ્ર અને મહેમાન ગુજરાત વચ્ચે પાંચ દિવસીય રણજી ટ્રોફી સેમીફાઈનલ જંગનો પ્રારંભ થશે. સૌરાષ્ટ્રનાં બોલરો કાગળ પર મજબુત લાગતી ગુજરાતની ટીમના બેટસમેનો પર હાવી થઈ જાય તેવું લાગી રહ્યું છે. કાલે સવારે ૯:૩૦ કલાકે મેચનો આરંભ થશે. બીજો સેમીફાઈનલ મેચ કોલકતા ખાતે બેંગાલ અને કર્ણાટક વચ્ચે રમાશે.

ચાલુ રણજી સિઝનમાં ૩૫ પોઈન્ટ સાથે ગુજરાતની ટીમ પોઇન્ટ ટેબલ પર ટોચના સ્થાને રહી હતી તો ૩૧ પોઈન્ટ સાથે સૌરાષ્ટ્રની ટીમ ચોથા ક્રમે રહી હતી. ગુજરાત લીગ રાઉન્ડમાં એક પણ મેચ હાર નથી જયારે સૌરાષ્ટ્રનું પ્રદર્શન કાબીલે દાદ રહ્યું છે. સૌરાષ્ટ્ર માત્ર એક મેચ હાર્યું છે જયારે ત્રણ મેચમાં વિજય થયો છે અને ચાર મેચ ડ્રોમાં પરીણામી છે. ગુજરાતની ટીમમાં પાર્થિવ પટેલ જેવા આંતરરાષ્ટ્રીય ખેલાડી રમી રહ્યા છે તો સામાપક્ષે જયદેવ  ઉનડકટ જેવા આંતરરાષ્ટ્રીય ખેલાડી રમી રહયો હોય ક્રિકેટ રસિકોને એક રોમાંચથી ભરપુર મેચ માણવા મળે તેવી સંભાવના છે. સૌરાષ્ટ્રની ટીમનો આધારસ્તંભ ચેતેશ્ર્વર પુજારા ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી રમી રહ્યો હોવાનાં કારણે સૌરાષ્ટ્રની ટીમમાં સામેલ ન હોય જેનો ફાયદો ઉઠાવવા ગુજરાત પ્રયત્ન કરશે પરંતુ સૌરાષ્ટ્રનાં શેલ્ડન જેકશન, ચિરાગ જાની, અર્પિત વસાવડા સહિતનાં બેટસમેનો હાલ ફોમમાં હોય પુજારાની ખોટ સાલવા દેશે નહીં જોકે ગુજરાતનાં સુકાની પાર્થિવ પટેલે કવાર્ટર ફાઈનલમાં સદી ફટકારી હતી જીત સાથે ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો તો સૌરાષ્ટ્રનો કવાર્ટર ફાઈનલ મેચ ડ્રોમાં પરીણમ્યો હતો પરંતુ પ્રથમ દાવની લીગના આધારે સેમીફાઈનલમાં પ્રવેશ મેળવ્યો છે. અત્યાર સુધી સૌરાષ્ટ્રની ટીમ કુલ ૬ વખત સેમીફાઈનલમાં પ્રવેશથી ચુકી છે અને ૩ વખત ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો છે પરંતુ એક પણ વખત ટાઈટલ જીતવામાં સફળ રહી નથી. ગુજરાત સામેની મેચ જીતી સૌરાષ્ટ્ર વટભેર ફાઈનલમાં પ્રવેશ કરતા ઉત્સાહી છે તો બીજી તરફ ગુજરાતની ટીમ સૌરાષ્ટ્રને ભરી પીવા સજજ છે. કાલથી રણજી ટ્રોફીના મેચનો પ્રારંભ થશે. બંગાળ અને કર્ણાટક વચ્ચે બીજો સેમીફાઈનલ મેચ રમાશે ગત વર્ષે જયદેવ ઉનડકટની નેતૃત્વમાં સૌરાષ્ટ્રની ટીમનો રણજી ટ્રોફી ફાઈનલમાં પ્રવેશ થયો હતો જોકે ફાઈનલમાં વિદર્ભ સામે સૌરાષ્ટ્રનો પરાજય થતા ચેમ્પીયનશીપથી વંચિત રહ્યું હતું. આ ઈતિહાસ ફરી ન દોહરાય તે માટે સૌરાષ્ટ્રનાં બોલરો મકકમ છે. બેટસમેનો કરતા સૌરાષ્ટ્રનો મદાર બોલરો પર રહેશે .

સેમી ફાઈનલ મેચ અત્યંત રોમાંચભર્યો બની રહેશે: પાર્થિવ પટેલ

સૌરાષ્ટ્ર અને ગુજરાત વચ્ચે આવતીકાલે જે સેમીફાઈનલ મેચ રમાવા જઈ રહ્યો છે. તે પૂર્વે ગુજરાત ટીમના કેપ્ટન પાર્થિવ પટેલે પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું હતું કે, સેમી ફાઈનલ મેચ અત્યંત રોમાંચકભર્યો બની રહેશે. બન્ને ટીમોમાં જે ખેલાડીઓ રમી રહ્યાં છે તે ઘણા મેચમાં અને ઘણી ટૂર્નામેન્ટોમાં એક સાથે રમ્યા છે. પરંતુ આવતીકાલનો સેમી ફાઈનલ મેચ કોઈ મિત્ર નહીં પરંતુ એક પ્રતિસ્પર્ધી તરીકે રમાવવામાં આવશે. જ્યારે સૌરાષ્ટ્ર ટીમમાં ચેતેશ્ર્વર પૂજારા રમતો ન હોવાથી ગુજરાતની ટીમને તેનો ફાયદો મળશે. પરંતુ ગત મેચોમાં જે રીતે સૌરાષ્ટ્રની ટીમ રમી છે તેનાથી એ વાત સ્પષ્ટ થાય છે કે, સેમી ફાઈનલ મેચ ફાઈનલ જેવો જ હશે. સૌરાષ્ટ્રની ટીમમાં પ્રેરક માંકડ, ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિતના ખેલાડીઓ જે ફોર્મમાં જોવા મળી રહ્યાં છે. તેના માટે ટીમ દ્વારા અનેકવિધ પ્રકારે સ્ટ્રેટેજી પણ બનાવવામાં આવી છે. ખંઢેરીની વિકેટ બેટિંગ પેરેડાઈઝ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારે આવતીકાલે વિકેટ જોઈ ટોસ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

સૌરાષ્ટ્રની ટીમ હવે બોલીંગ બાદ બેટીંગમાં પણ મજબૂત: જયદેવ ઉનડકટ

ગુજરાત સામે આવતીકાલે જ્યારે સૌરાષ્ટ્ર તેનો પ્રમ સેમી ફાઈનલ મેચ રમશે તે પૂર્વે સૌરાષ્ટ્રની ટીમે આકરી પ્રેક્ટિસ નેટમાં બેટીંગ તા બોલીંગમાં કરી હતી.  ત્યારે નેટ પ્રેક્ટિસ બાદ પત્રકાર પરિષદ સંબોધતા ટીમના સુકાની જયદેવ ઉનડકટ અને ટીમ ફિઝીઓ નિરજ ઓડેદરા ઉપસ્થિત રહ્યાં હતા. પત્રકાર પરિષદ સંબોધતા જયદેવ ઉનડકટે જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર અને ગુજરાતની ટીમ બેલેન્સડ ટીમ છે ત્યારે સેમી ફાઈનલને સહેજતાી લેવામાં નહીં આવે. ટીમના ખેલાડી જેવા કે પ્રેરક માંકડ, સેલડન જેકશન, ચિરાગ જાની જે રીતે પોતાનું ઉમદા પ્રદર્શન કરી રહ્યાં છે તેનાી ટીમને ચેતેશ્ર્વર પૂજારાની ખોટ સાલવશે નહીં. ત્યારે પ્રતિસ્પર્ધી ટીમને તમામ પાસાઓ પર માત આપવા માટે અનેકવિધ યોજનાઓ બનાવવામાં આવી છે. ગુજરાત ટીમના ખેલાડીઓ ઓફ સાઈડ પર રમવામાં અત્યંત માહિર છે ત્યારે તે પ્રકારનો જ ગેમ પ્લાન બનાવવામાં આવ્યો છે. આ સમયે ટીમમાં સ્ટ્રાઈક બોલરની અત્યંત જરૂરીયાત હોય છે. ત્યારે ધર્મેન્દ્ર જાડેજા જે રીતે બોલીંગ કરી રહ્યો છે. તેનાથી વિરોધી ટીમને ઘણી તકલીફનો સામનો કરવો પડશે. અંતમાં તેઓએ જણાવ્યું હતું કે, રાજકોટની વિકેટ હોમ વિકેટ હોવાથી વિકેટ કેવી રીતે ભાગ ભજવશે તેનાી ટીમ વાકેફ છે. જેથી ટીમ પ્લાનીંગ પણ વિકેટ જોઈને જ કરવામાં આવ્યું છે. મારી ઈચ્છા છે કે, સૌરાષ્ટ્રની ટીમ સેમી ફાઈનલમાં સારી જીત મેળવી ફાઈનલમાં પ્રવેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.