Abtak Media Google News

બંને પરિવારને સોમવારે 5-5 લાખનો ચેક આપવામાં આવશે

રાજકોટમાં આજીડેમ ચોકડી પાસેના બ્રિજની દીવાલ ધરાશાયી થતાં 2 યુવકોના મોત નીપજ્યા હતા. જે મામલે મૃત્યુ પામેલા બંને મૃતકોના પરિવારને થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સ વગર વીમા કંપની 5-5 લાખ રૂપિયાની સહાય કરશે.

થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સ વગર મૃતક વિજયભાઈ વીરડા અને ભુપતભાઈ મિયાત્રાના પરિવારને એલ્સામેક્સ મેઈન્ટેનન્સ સર્વિસ લિમિટેડ દ્વારા પરિવાર દીઠ રૂપિયા 5-5 લાખ આપવાની જાહેરાત કરી છે. એલ્સામેક્સ મેઈન્ટેનન્સ સર્વિસ લિમિટેડના અધિકારી અજયભાઈ ઠાકોરે જણાવ્યું હતું કે, સોમવારે બંને પરિવારને 5-5 લાખના ચેક આપવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.