Abtak Media Google News

શનિવારે શની પ્રદોષમાં તથા શ્રવણ નક્ષત્રમાં શિવરાત્રી ઉત્તમ

શનિવારે શની પ્રદોષ મા તથા શ્રવણ નક્ષત્રમાં શિવરાત્રી ઉત્તમ ગરવામાં અાંવે છે. મહા વદ તેરસ ને શનિવાર તા 18.2.23 ના દિવસે મહાશિવરાત્રી છે. આ દિવસે શની પ્રદોષ પણ ઉત્તમ છે. સાંજે 5.42 થી  શ્રવણ નક્ષત્ર પણ ઉત્તમ છે . મહાશિવરાત્રીના દિવસે આઠ પ્રહરની પૂજામાં મુખ્ય રાત્રીના ચાર પ્રહરની પૂજા મહત્વની ગણાય છે .

રાત્રી ના ચાર પ્રહરની પૂજા

પહેલા પ્રહર :-

મહાદેવજી ઉપર જળધારા કરી અને ચંદન – ચોખા કમળ , કરેણના પુષ્ય વડે પૂજા કરવી નૈવેદ્યમાં પકવાન ધરાવવો

બીજા પ્રહરની પૂજા:-

મહાદેવજીને જળ ચડાવી બીલીપત્ર અર્પણ કરવા તથા શ્રીફળ અર્પણ કરવું .

ત્રીજા પ્રહરમાં :-

મહાદેવજીને દુધ તથા જળ ચડાવી ઘઉં તથા આકડાના પુષ્પો અર્પણ કરવા તથા માલ પુવાનું નૈવેદ્ય તથા શાક દાળ ધરાવ્યા બાદ બિલિપત્ર અર્પણ કરવા .

ચોથા પ્રહરે:-

જળ ચડાવ્યા બાદ અડદ , મગ , સાત ધાન્ય ચડાવવા તથા બિલીપત્ર ચડાવવા દૂધના મિષ્ઠાનનું નૈવેદ્ય ધરાવું .

શિવપૂજામાં ત્રણેય ભગવાનની પૂજા આવી જાય છે . શિવલિંગમાં મૂળમાં બ્રહ્મામધ્યમાં વિષ્ણુ અને ઉપર સ્વયં શિવજી છે . આમ શિવલિંગની પૂજા કરવાથી ત્રણેય ભગવાનની પૂજાનું ફળ મળે છે . અલગ અલગ દ્રવ્યથી મળતુ ફળ સંતાન પ્રાપ્તિ માટે ચોખાથી , ધનની પ્રાપ્તિ માટે બિલીપત્રથી , આયુષ્ય વધારવા દુર્વાથી , રાજયોગ માટે ઘીંધી , સર્વ મનોકામના સિદ્ધિ માટે અને નવગ્રહની શાંતિ માટે કાળ તલ , સુખી દામ્પત્ય જીવન માટે સાકરના પાણીથી અને ડાયાબીટીસ જેવી બીમારી દુર ઓછી કરવા શેરડીના રસથી. ચડાવવામાં આવે છે.

નિશીથ કાળ રાત્રે 12.37 થી 1.25 સુધી છે . આ સમયે પણ શિવજી ઉપર રુદ્રી પૂજા અભિષેક કરાવી શકાય છે અને ઉત્તમ ફળ આપનાર છે

-શાસ્ત્રી રાજદીપ જોષી (વેદાંત રત્ન)

ચાર પ્રહરની વિગત :-

  • પ્રથમ પ્રહર સાંજે 6.45 થી 10.06
  • બીજો પ્રહર રાત્રે 10.06 થી 1.07
  • ત્રીજો પ્રહર રાત્રે 1.07 થી 4. 08
  • ચોથો પ્રહર રાત્રે 4.08 થી 7.17 સુધી છે

રાશી પ્રમાણે શિવજીની પૂજા

(1)મેષ રાશી ( અ.લ.ઇ. ) શેરડીના રસથી તથા સુખડીનું નેવૈદ્ય ધરાવવું .

(2)વૃષભ રાશી ( બ.વ.ઉ. ) સાકરવાળા પાણીથી દુખથી પેંડાનું નેવેદ્ય ધરાવવું .

(3)મિથુન રાશી ( ક.છ.ઘ. ) કાળા તલથી તથા દુધથી સકરીયાનો શીરો ધરાવવો .

(4)કર્ક રાશી ( ડ.હ. ) દુધથી તથા સાકરવાળા પાણીથી નૈવેદ્યમાં રાજગરાનો શિરો ધરાવવો

(5)સિંહ રાશી ( મ.ટ. ) ઘી તથા ચણાની દાળથી ચણાની દાળની બનેલ વસ્તુનું નેવૈદ્ય ધરાવવું .

(6)ક્ધયા રાશી ( પ.ઠ.ણ. ) મધથી તથા દુધથી નૈવેદ્યમાં દુધ પાક ધરાવવો .

(7) તુલા રાશી ( ર.ત. )  શેરડીના રસ થી, દુધની મીઠાઇ ધરાવવી .

(8) વૃશ્ચિક રાશી ( ન.ય. ) બીલીપત્ર તથા દુધથી નૈવેદ્યમાં તલની વસ્તુ ધરાવવી .

(9) ધન રાશી ( ભ.ફ્.ધ. ) શેરડીનો રસ તથા સાકરવાળુ પાણી , નૈવેદ્યમાં અળદીયા ધરાવવા .

(10)મકર રાશી ( ખ.જ. )  , કાળા તલથી અભિષેક કરવો , માલપૂવા ધરાવી શકાય .

(11) કુંભ રાશી ( ગ.સ.શ. )  , કાળા તલ સાકરવાળુ જળ તથા મધથી અભિષેક કરવો , અડદીયા ધરાવવા .

(12) મીન રાશી ( દ.ચ.ઝ.થ ) ઘી તથા દુર્વાથી તથા દુધથી અભિષેક કરવો નેવૈદ્યમાં પીળી મીઠાઈ  ધરવી .

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.