Abtak Media Google News

પૂ. યશોવિજયજી મ.સા.ની ઉપસ્થિતિમાં

જનસેવા ટ્રસ્ટને ૩૧,૦૦૦નું અનુદાન અર્પણ કરાશે: જીવદયા પ્રેમીઓ ‘અબતક’ના આંગણે

જીવદયા ગ્રુપ દ્વારા તા.૨૭ને દિવાળીના દિવસે સવારે ૮ કલાકે ૪.૧૪ જાગનાથ પ્લોટ આયંબીલ ભવન ઉપાશ્રય ખાતે પૂ. યશોવિજયજી મહારાજની નિશ્રામાં તથા ગૌસેવા આયોગના પ્રમુખ ડો. વલ્લભભાઈ કથીરીયાની હાજરીમાં રાજકોટ મહાજનનની પાંજરાપોળ, રાધેશ્યામ ગૌશાળા, કોઠારીયા લાપાસરરી ખોડીયાર ગૌશાળા, વિજય હનુમાન ગવરીદડ ગૌશાળા, ક‚ણા સત્યમ ગૌશાળા મોટા વડાળા ગૌશાળા લાલપરી ધારેશ્ર્વર ગૌશાળામાં ગૌમાતાઓને ૮૦૦ મણ જેટલી લીલી જારનું અનુદાન અર્પણ કરવામાં આવશે.

Advertisement

આ સિવાય જનસેવા ટ્રસ્ટ સેવાકીય સંસ્થાને પણ અંદાજે ૩૧૦૦૦ જેટલું અનુદાન અર્પણ કરવામાં આવશે. ડો. વલ્લભભાઈ કથીરીયા દ્વારા ગૌમાતા વિશે માહિતગાર કરવામાં પણ આવનાર છે. આ સેવાકીય કાર્યક્રમમાં દાતા અતુલભાઈ શેઠ, હરેશભાઈ વીછી, ભરતભા, રાણપરા, અજયભાઈ પટેલ, હરેનભા, મહેતા, સમીર કામદાર, ઉપેનભાઈ મોદી, જયશ્રીબેન હરેશભા, વોરા, દિનેશભાઈ મોદી, અતુલભાઈ સંઘવી રજનીભાઈ જસાણી, તારાબેન માર્કડરાય ત્રીવેદી, તથા ટ્રસ્ટી મંડળનો કાર્યક્રમ માટે સહકાર સાંપડયેલ છે.

કાર્યકમ્રને સફળ બનાવવા માટે જીવદયા ગ્રુપના સર્વે સભ્યો ઉપેનભાઈ મોદી, પ્રકાશ મોદી, નિરવ સંઘવી, હર્ષદ મહેતા હિરેન કામદાર, હિતેષ દોશી સહિતનાઓએ જહેમત ઉઠાવી રહ્યા છે. તેમજ આ તકે હિતેશ દોશી, ભરત બોરડીયા, અમીત દેસાઈ, પારસ મોદી, ધવલભાઈ દોશીએ અબતકની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.