Abtak Media Google News

 વહેલી સવારે ટ્રક ચાલકને જોકુ આવી જતાં સર્જાયો ગમખ્વાર અકસ્માત: ટ્રાફિકજામ થયો

પાલનપુરથી 17 કીમી દુર એસબીપુરા ગામના પાટીયા પાસે સામસામે ટ્રક ધડાકાભેર અથડાતા સર્જાયેલા અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા બંને ટ્રક ચાલક સહિત ત્રણના મોત નીપજયા હતા. ટ્રકમાં ભરેલા ઘેટા પૈકી 20 ઘેટાના મોત નીપજ્યા હતા. જીવલેણ અકસ્માતના કારણે હાઇ-વે પર ટ્રાફિક જામ થઇ જતા પોલીસે અકસ્માતગ્રસ્ત બંને ટ્રક દુર કરાવી ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ પાલનપુર નજીક એસબીપુરા પાસે આર.જે.30જીબી. 0062 નંબરના ટ્રકમાં રાજસ્થાનથી ઘેટા ભરી અમદાવાદ આવી રહ્યો હતો ત્યારે સામેથી આવતા જી.જે.02એકસએકસ. 6186 નંબરનો ટ્રક ધડાકા ભેર અથડાતા ગોજારો અકસ્માત સજાર્યો હતો.

રાજસ્થાનથી ઘેટા ભરેલા ટ્રકને અકસ્માત નડતા ટ્રકમાંથી ઘેટા ફંગોળાયા હતા. જેમાં 20 જેટલા ઘેટાના મોત નીપજ્યા હતા. જ્યારે બંને ટ્રકના ચાલક સહિત ત્રણ ઘવાયા હતા.

ગમખ્વાર અકસ્માતના બનાવની જાણ પોલીસને થતા ઘટના સ્થળે પહોચી અકસ્માતમાં ભાંગીને ભુકો થયેલા બંને ટ્રકને ક્રેઇનની મદદથી દુર કરી ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.