Abtak Media Google News

જય વેલનાથ યુવા મંચ દ્વારા

જય વેલનાથ યુવા મંચ દ્વારા રાજકોટ  ગુજરાત ચુંવાળીયા કોળી સમાજના નવનિયુકત પ્રમુખ  ધર્મેશભાઈ જંજવાડીયા નો સન્માન સમારોહનુ આયોજન એકાવનથી વધુ સંસ્થા ધ્વારા સન્માનિત કરાશે.અબતકની શુભેચ્છા મુલાકાતે આવેલા દિનેશ મકવાણા એ વાતચીત કરતા જણાવ્યું હતુ કે ગુજરાત રાજય ચુંવાળીયા કોળી સમાજની એક મીટીંગ મળેલ સમગ્ર ગુજરાતમાંથી સમાજ આગેવાનો મળેલા હતા આ મીટીંગમાં સર્વાનુમતે 2ાજકોટના ઉદ્યોગપતિ અને સમાજના આગેવાન  ધર્મેશભાઈ જંજવાડીયાની પ્રમુખ તરીકે સર્વાનુમતે વ2ણી કરવામાં  આવી છે.

આગામી તારીખ 18/02/2022 ના રોજ હેમુગઢવી હોલ રાજકોટ ખાતે બપોરે 2:30 કલાકે સન્માન કાર્યક્રમ રાખવામાં આવેલ છે . આ સન્માન કાર્યક્રમમાં અન્ય સમાજની સંસ્થાના આગેવાનો ઉપરાંત સમાજની વિવિધ સંસ્થાઓ મળી 51 થી વધુ સંસ્થા ધ્વારા સન્માન કરવાનું આયોજન કરવામાં આવેલ છે .

સમગ્ર ગુજરાતમાંથી સમાજના આગેવાનો ઉપસ્થિત રહેવાના હોય સમાજના તમામ આગેવાનો ઉપસ્થિત રહેવા આહવાન છે.  સન્માન કાર્યક્રમ સાથે ગુજ2ાત ચુંવાળીયા કોળી સમાજના જીલ્લા અને પ્રદેશનું આર્થિક માળખું પણ જાહેર કરવા સાથે નવનિયુકત હોદેદારોનું પણ સન્માન અને નિમણુક કરવામાં આવશે.

અબતકની શુભેચ્છા મુલાકતે હાજર દિનેશભાઈ પી.મકવાણા, નટુભાઈ કુંવરીયા, દેવભાઈ કોરડીયા, ભરતભાઈ ડાભી, રાજુભાઈ પંચાસરા, યોગેશભાઈ રીબડીયા, સુભાષભાઈ, વિજયભાઈ મેથાણીયા, જેન્તીભાઈ બોરીચા  રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.