Abtak Media Google News

ફુટબોલમાં રાષ્ટ્રીય કક્ષાએ પ્રથમ આવનાર સાગર સરવૈયાનું સન્માન કરાયું

મોચી જ્ઞાતિ ટ્રસ્ટ વાંકાનેરનો સરસ્વતી સન્માન સમારંભ અને ઈનામ વિતરણ કાર્યક્રમ તા.૧૨/૮/૨૦૧૮ ને રવિવારના રોજ બપોરના ૩:૦૦ કલાકે મોચી જ્ઞાતીની વાડી વાંકાનેર ખાતે ડો.રાજેશભાઈ ઝાલા સાહેબના પ્રમુખ સ્થાને અને મનસુખભાઈ એમ.પરમાર (સત્સંગી, સેવક, પત્રકાર અને મંત્રી) માંગરોળના અતિથી વિશેષપદે ભવ્યાતિભવ્ય રીતે ઉજવાયો. દીપ પ્રાગટય પ્રમુખ જયંતિભાઈ પરમાર તથા ડો.ઝાલા, નરભેરામભાઈ સરવૈયા, દિલીપભાઈ મકવાણા અને મનસુખભાઈ પરમારના વરદ હસ્તે કરવામાં આવ્યું.

સત્સંગી સેવક પત્રકાર અને મંત્રી મનસુખભાઈ એમ.પરમાર દ્વારા પ્રમુખ જયંતિભાઈ પરમાર, ઉપપ્રમુખ ડો.ઝાલા, નરભેરામ સરવૈયા તથા મંત્રી દિલીપભાઈ મકવાણાનું શાલ ઓઢાડી હાર પહેરાવી ભવ્યાતિ ભવ્ય સન્માન કરવામાં આવ્યું. જ્ઞાતિના યુવાન અને કર્તવ્ય નિષ્ઠ પ્રમુખ જયંતિભાઈ એમ.પરમારે પોતાના પ્રવચનમાં જ્ઞાતીની વાડી બનાવવાનો અને ગુજરાતભરનું પસંદગી સંમેલન બોલાવવાનો સંકલ્પ જાહેર કર્યો. બાલમંદિરથી લઈને ધોરણ ૧૨ સુધીના વિદ્યાર્થી ભાઈ-બહેનોને જ્ઞાતિના આગેવાનો દ્વારા યુવક મંડળના કાર્યકરો દ્વારા દરેક વિદ્યાર્થીના વાલી સાથેના ફોટા પડાવી તાલીઓના ગડગડાટ સાથે ઈનામ વિતરણ કરવામાં આવ્યું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.