Abtak Media Google News

ભારતરત્ન પૂર્વ પ્રધાનમંત્રી સ્વ.અટલબિહારી વાજપેયીની પ્રથમ માસિક પુણ્યતિથી નિમિતે તા.૧૬મીએ રાજકોટ જીલ્લા ભાજપા દ્વારા રાજકોટ જીલ્લા તાલુકા મંડળો પર કાવ્યાંજલિ કાર્યક્રમો રાખવામાં આવેલ છે તેમ રાજકોટ જીલ્લા ભાજપા મહામંત્રી ભાનુભાઈ મેતાએ જણાવ્યું હતું. આ કાર્યક્રમ રવિવારે સાંજે ૪ થી ૬ આત્મીય કોલેજ યોગીધામ મીટીંગ હોલ, કાલાવડ રોડ, રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં રાજકોટ જીલ્લા અધ્યક્ષ ડિ.કે.સખીયાના અધ્યક્ષસ્થાને સાંસદ મોહનભાઈ કુંડારિયા, પૂર્વ સાંસદ ડો.વલ્લભભાઈ કથીરિયા, પૂર્વ સાંસદ હરિભાઈ પટેલ, કવિ સંજયભાઈ કામદાર સહિતના રાજકોટ જીલ્લાના આગેવાનો ઉપસ્થિત રહેશે.

જયારે બીજો કાર્યક્રમ તા.૧૬ને રવિવારે સવારે ૯ થી ૧૧ ક્ધયા શાળા હોલ, જસદણ ખાતે રાખવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, રાજકોટ જીલ્લા મહામંત્રી ડો.ભરતભાઈ બોઘરા તથા જસદણ વિસ્તારના આગેવાનો ઉપસ્થિત રહેશે. ત્રીજો કાર્યક્રમ તા.૧૬ને રવિવારે સાંજે ૪ થી ૬ નવા માર્કેટીંગ યાર્ડ, ગોંડલ ખાતે રાખવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં ધારાસભ્ય ગીતાબા જાડેજા, જીલ્લા ભાજપા મહામંત્રી જયંતીભાઈ ઢોલ, જીલ્લા મંત્રી અરૂણભાઈ ઠુંમર તથા ગોંડલ વિસ્તારના જીલ્લા ભાજપાના આગેવાનો ઉપસ્થિત રહેશે.

ચોથો કાર્યક્રમ તા.૧૬ને રવિવાર બપોરે ૩ થી ૬, નગરપાલિકા હોલ, જેતપુર ખાતે રાખવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડિયા, ગુજરાત પ્રદેશ ભાજપા ઉપાધ્યક્ષ જશુમતીબેન કોરાટ, રાષ્ટ્રીય પરીષદ સભ્ય મનસુખભાઈ ખાચરીયા, જેતપુર શહેર ભાજપ પ્રમુખ કિશોરભાઈ શાહ, જેતપુર તાલુકા ભાજપ પ્રમુખ સુભાષભાઈ બાંભરોલીયા ઉપસ્થિત રહેશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.