પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા રાજકોટ કાનાલુસ ડબલીંગ યોજનાનો શિલાન્યાસ અને જામનગર તેમજ બાંદ્રા ટર્મિનસ વચ્ચે નવી હમસફર એકસપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવીને ટ્રેનને રવાના ૪ માર્ચના રોજ કરવામાં આવી હતી. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, ઉપમુખ્યમંત્રી નીતીનભાઇ પટેલ ગ્રામીણ વિકાસ: મત્સ્ય ઉઘોગ અને પરીવહન મંત્રી આર.સી. ફળદુ, હસમુખભાઇ જેઠવા, પુનમબેન માડમ સહીતના અન્ય મહાનુભાવો પણ ઉ૫સ્થિત રહ્યા હતા. પશ્ચીમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી રવિન્દ્ર ભાકરે જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી દ્વારા ૧૧૧.૨૦ કી.મી. લાંબા રાજકોટ-કાનાલુસના શિલાન્યાસ કરવામાં આવ્યો છે. જેનો લાભ યાત્રિકોને મળશે અને સાથે ટ્રેનોને સમયસર પહોચાડવાની ક્ષમતામાં પણ વધારો થશે.
Trending
- બાણેજનું મતદાન મથક કેમ આટલું મહત્વનુ છે???
- ડીજી લોકરમાં ડોક્યુમેન્ટ ધરાવતા સ્માર્ટ મતદારો વોટીંગ કરવા માટે થયા પરેશાન
- બપોરે ઊંઘતું રાજકોટ લોકશાહીના રખોપા માટે જાગ્યું: મતદાન મથકો સતત ધમધમતા રહ્યા
- કાશ્મીરમાં ત્રણ આતંકીઓને ઠાર કરતી સેના
- નીટનું પેપર લીક ન હોવાની સ્પષ્ટતા છતાં દ્વિધા
- શું તમને ખબર છે કાકડીનું પાણી તંદુરસ્તી જાળવી શકે?
- જાફરાબાદમાં મતદાન મથક પર ફરજ પર રહેલા કર્મચારીનું મોત
- શું તમે કોરોનાના રસીની સાઇડ ઇફેક્ટથી ચિંતિત છો?