Abtak Media Google News

પ્લાસ્ટીક ઉદ્યોગને પરિવહનની સમસ્યા સૌથી વધુ સતાવી રહી છે : મણીધર પોલીમર્સ

વિશ્ર્વભરમાં હાહાકાર મચાવનારા કોરોના વાયરસને ભારતમાં ફેલાતો અટકાવવા અગમચેતીનાં પગલા રૂપે દેશવ્યાપી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. લોકડાઉનનાં કારણે ભારતમાં વિશ્ર્વના અન્ય દેશોની સરખામણીમાં કોરોનાથી ઓછી માનવ ખૂવારી થવા પામી છે. પરંતુ વિશાળ વિસ્તારનાં કારણે દેશભરમાં કોરોનાના કેસો દિન પ્રતિદિન બહાર આવતા રહે છે. જેથી કેન્દ્ર સરકારને લોકડાઉનના સમયગાળામાં ત્રણ વખત વધારો કરવો પડયો છે. વધતા લોકડાઉનના સમયગાળાના કારણે પહેલેથી મંદ પડેલા દેશના અર્થતંત્રને ભારે નુકશાની વેઠવી પડી રહી છે. જેથી કેન્દ્ર સરકારે માંદગીના બિછાને પડેલા અર્થતંત્રને ધબકતુ કરવા શહેરી વિસ્તાર બહારનાં ઔદ્યોગિક એકમોને અમુક શરતોને આધીન ફરીથી પ્રારંભ કરવાની મંજૂરી આપી છે. આ મંજૂરીના પગલે રાજકોટના ઔદ્યોગિક વિકાસમાં મહત્વનો ભાગ ભજવનારા શાપર-વેરાવળ ઔદ્યોગિક ઝોનના મોટાભાગના ઔદ્યોગિક એકમો ધમધમવા લાગ્યા છે. પરંતુ, લોકડાઉનના કારણે આ ઉદ્યોગોને અનેક સમસ્યાઓનો પણ સામનો કરવો પડી રહ્યો છે. જેની ‘અબતક’ની ટીમ દ્વારા શાપર-વેરાવળ ઔદ્યોગિક ઝોનનું ગ્રાઉન્ડ ઝીરો રીપોર્ટીંગ કરીને સ્થિતિનો કયાસ મેળવ્યો હતો.

02 1

મણીધર પોલીસમર્સના વલ્લભભાઈ કાપડીયાએ અબતક સાથેની વાતમાં જણાવ્યું હતુ કે પ્લાસ્ટીક ઉદ્યોગમાં હાલ રો-મટીરીયલની પરિસ્થિતિ કંપનીને ખૂબ વ્યાપક પ્રમાણમાં સતાવી રહી છે. પરપ્રાંતીય મજૂરો વતન જતા ઉત્પાદનને પણ ઘણીખરી અસરનો સામનો કરવો પડે છે. સરકાર દ્વારા જે વિકાસ ઉદ્યોગને છૂટ આપી છે. તેનાથી નિકાસકારોને કોઈપણ તકલીફ નો સામનો કરવો પડતો નથી પરંતુ હાલના તબકકે પ્લાસ્ટીક ઉદ્યોગને લોકડાઉનની સ્થિતિ સૌથીવધારે અસર કરતાં નિવડી છે. સરકાર આ તમામ મુદાઓને ધ્યાને લેતા ઉદ્યોગની સ્થિતિમાં સુધારો જોવા મળશે. કંપનીએ પરપ્રાંતીય મજૂરોને ખૂબ લાંબા સમય સુધી સાચવ્યા હતા અને તેમની તમામ જરૂ રીયાત ને પુરી કરી હતી પરંતુ હાલ જેરીતે મજૂરો પોતાના વતન તરફ જવા ઉતાવળ્યા થયા છે. તેનાથી કંપનીએ ભોગ બનવું પડે છે. સરકાર જો નાણાંકીય પેકેજ આપે અને જીએસટીના દરમાં ઘટાડો કરે તો જે રોકાણ કરવામાં આવ્યું છે. અને આ સમયમાં નુકશાની જે કંપની કરે છે તેમાંથી તેમને રાહત પણ મળી શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.