Abtak Media Google News

મોરબીમાં લોકો સુધી વર્તમાન સ્થિતિના સમાચારો પહોચાડવા સતત દોડતા એવા પત્રકારોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં આરોગ્ય વિભાગ દ્વારા ૨૦ પત્રકારોના સેમ્પલ લઈને રિપોર્ટ માટે મોકલવામાં આવ્યા છે.મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા માસ સેમ્પલ લેવાનો સિલસિલો યથાવત રહ્યો છે. જેમાં આજે સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડો. દુધરેજીયાની સુચનાથી આરએમઓ ડો. કે. આર. સરડવાના માર્ગદર્શન હેઠળ પત્રકારોના સેમ્પલ લેવામા આવ્યા છે.  સહિત  પત્રકારો લોકો સુધી સમાચારો પહોચાડવા માટે ફિલ્ડમાં સતત દોડતા રહેતા હોય માટે તેઓ જો સંક્રમિત થયા હોય તો જોખમ વધુ રહે છે. જેથી આરોગ્ય વિભાગ દ્વારા  મોરબી અબતક ન્યૂઝના પત્રકાર ડેનિષ દવે  સહિત ૨૦ પત્રકારોના સેમ્પલ લેવામાં આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.