રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને ૬૪માં જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવતા રાજકોટ જીલ્લા ભાજપ પ્રમુખ ડિ.કે.સખીયા, મહામંત્રીઓ ભાનુભાઈ મેતા, જયંતિભાઈ ઢોલ, ડો.ભરતભાઈ બોઘરાએ જણાવ્યું હતું કે, વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં દરેક આફતો-અડચણો સામે ગુજરાત અને ગુજરાતીઓનો વિજય યો છે. પ્રજાવત્સલ સંવેદનશીલ મુખ્યમંત્રી તરીકે ગુજરાત જ નહિ પરંતુ દેશ આજે ઓળખી રહ્યું છે. મનમા પ્રજાહિત અને હૃદયમાં કમળ, સક્ષમ છે, મક્કમ પણ છે. તેવા આપણા સૌના ઉમદા નેતાને જન્મ દિવસની ખુબ ખુબ શુભકામનાઓ. તેમના જન્મદિવસની જીલ્લાભરમાં તાલુકા ખાતે સેવાકીય કાર્યો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. જીલ્લા ભાજપ દ્વારા અંધ મહિલા ગૃહ ખાતે અંધ બહેનોને ભોજન કરાવવામાં આવ્યું હતું અને અલગ અલગ મંડલોમાં પણ સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરી ભૂખ્યાને ભોજન, જરૂરીયાતમંદને રાશન કીટ અને જરૂરીયાત મુજબ ચીજવસ્તુઓ વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ કોરોનાના સંક્રમણ અટકાવવા માટે કાર્યકર્તાઓ દ્વારા આર્યુવેદિક ઉકાળા, શક્તિવર્ધક હોમિયોપેીક દવાઓ, માસ્ક અને સેનેટાઈઝર સહીતની વસ્તુનું વિતરણ તેમજ વિરપુર ખાતે બ્લડ ડોનેશન કેમ્પ કરી કાર્યકર્તાઓ દ્વારા પોતાના મજબુત મક્કમ નેતાનો જન્મ દિવસની ઉજવણી કરી હતી.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો નવા વાતાવરણને સમજી એ મુજબ ચાલી શકો અને દિવસ એકંદરે સારો
- Indian Navy : અરબી સમુદ્રમાં ઈરાની ફિશિંગ જહાજ માટે ભારતીય નેવી બની દેવદૂત
- સંસ્કૃતિ મંત્રાલયમાં 1,00,000થી વધુ પગારની નોકરી મેળવવાની આ છે શાનદાર તક
- નોકરી કરતી વ્યક્તિઓ માટે ખાસ છે આ લો, જાણો શું છે Right to Disconnect Law?
- રાજકોટ : હિંગળાજ નગરમાં મોબાઇલ ટાવર એજન્સીએ પાઇપલાઇન તોડતા પાણીની રેલમછેલ
- કપડાની શોખીન મહિલાઓ માટે 70થી વધુ બ્રાન્ડ એક જ રૂફ હેઠળ “મોન્સુન ડિઝાઇનર સ્ટોર” બન્યું આકર્ષણનું કેન્દ્ર
- લોકશાહીના પર્વની શાંતિપુર્ણ ઉજવણી માટે રાજકોટ શહેરમાં 2700થી વધુ પોલીસ અધિકારી-કર્મચારીઓ ખડેપગે રહેશે
- બજાજ આવતા મહિને ભારતમાં લોન્ચ કરશે વિશ્વની પ્રથમ CNG મોટરસાઇકલ