Abtak Media Google News

આજના આ ભાગદોડના જીવનમાં લોકો પોતાના સ્વાસ્થયની સંભાળ રાખી શકતા નથી પરીણામે લોકોનાં શરીરમાં અનેક પ્રકારની બીમારીઓ ઉદ્દભવે છે . માણસના ખૂબસૂરત જીવનમાં ખલેલ ઉભી કરે છે.બધા જ રોગોમાંનો એક રોગ છે ડાયાબીટીસ. ડાયાબીટીસ આજના સમયમાં ખૂબ જ સામાન્ય રોગ છે. ડાયાબિટીસ નામનો રોગ ત્યારે થાય છે જયારે માનવ શરીરમાં બ્લડ ગ્લૂકોઝ અથવા , સામાન્ય ભાષામાં જેને આપણે બ્લડ શુગર પણ કહેવામાં આવે છે.

બ્લડ ગ્લુકોઝએ શરીરમાં ઉર્જા પુરી પાડતો સ્ત્રોત છે જે સેવન કરેલા ખોરાકમાંથી મળે છે. માનવ શરીરમાં ઇન્સ્યુલિન સ્વાદુપિંડ દ્વારા બનનાવામાં આવેલું હોર્મોન, ખોરાકમાંથી ગ્લુકોઝને તમારા કોષોને પ્રવેશ કરવા માટે ઊર્જા ઉપયોગમાં લે છે.કેટલીકવાર તમારું શરીર પૂરતું અથવા કોઈપણ ઇન્સ્યુલિન બનાવતું નથી અથવા સારી રીતે ઉપયોગ કરતું નથી ગ્લુકોઝ પછી તમારા લોહીમાં રહે છે અને તમારા કોષોમાં પહોંચતું નથી ત્યારે આ ડાયાબિટીસનો રોગ થાય છે.

વજનમાં વધારો,પોલિયુરિયા ( યુરિનમાં વધારો ) ,પોલીડીપીસ્યા( તરસ વધારે લાગવી ) ,અને પોલીફેગિયા( ભુખમાં વધારો ) ઉપરાંત તેમાં અસ્પષ્ટ દ્રષ્ટિ,માથાનો દુખાવો, થાક અને ત્વચા ખજવાડ શામેલ છે.

ડાયાબિટીસ ત્રણ પ્રકારના હોય છે . ( 1 ) બીટા કોશિકાઓના નુકસાનને લીધે સ્વાદુપિંડની પૂરતી ઇન્સ્યુલિન ઉતપન્ન કરવામાં નિષ્ફળતાં પામે છે. આ પ્રકારનાં ડાયાબિટીસનું ઇન્સ્યુલિન ઇન્જેક્શન સંચાલન કરવું આવશ્ય છે.આ પ્રકારનું ડાયાબિટીસ વારસામાં આવી શકે છે અને કોઈ પણ ઉંમરે થઈ શકે છે .અનિયમિત અને આણધારી હાઈ બ્લડ શુગરનું પ્રમાણ હોઈ શકે છે અને લોહીમાં શર્કરાની ગંભીર સ્તરની સંભાવના હોય શકે છે. આ પ્રકારના ડાયાબિટીસમાં યોગ્ય આહાર લેવાથી 28% જોખમ ઘટી શકે છે.

( 2 ).શરીરમાં ઇન્સ્યુલિનની પ્રતિકારથી પણ ડાયાબિટીસ થઈ શકે છે. આ એક એવી સ્થિતિ છે કે જેમાં કોષો ઇન્સ્યુલિનનો યોગ્ય રીતે જવાબ આપવામાં નિષ્ફળ જાય છે. આ પ્રકારનું ડાયાબિટીસ મુખ્યત્વે જીવનશૈલીના પરીબળો આનુવંશિકતાને કારણે થાય છે. ડાયાબિટીસની સારવાર ઇન્સ્યુલિન સાથે અથવા વગર ઇન્સ્યુલિન સંવેદનશીલ દવાઓથી થઈ શકે છે. વધારે પડતા સફેદ ચોખા ખાવાથી જોખમ વધી શકે છે ખાસ કરીને ચાઈનીઝ અને જાપાની લોકોમાં શારીરિક પ્રવૃત્તિના અભાવથી વધે છે.

( 3 ) .સગર્ભાવસ્થા દરમિયાન ડાયાબિટીસ: સગર્ભાવસ્થાનું ડાયાબિટીસ એ ત્રીજું અને મુખ્ય સ્વરૂપ છે .જયારે પાછલા ઇતિહાસ વિના સગર્ભા સ્ત્રીઓમાં લોહીમાં શર્કરાનું પ્રમાણ વધારે છે ત્યારે સગર્ભા સ્ત્રીને ડાયાબિટીસ થાય છે.આ ડાયાબિટીસમાં સગર્ભા સ્ત્રીઓને ભલામણ કરવામાં આવે છે કે 24 – 25 અઠવાડિયા સુધી તપાસ કરાવવી કારણકે ગર્ભાવસ્થા સમયે સગર્ભા સ્ત્રીઓમાં ઇન્સ્યુલિનનું પ્રમાણ વધુ હોય છે. સારવાર ન કરાયેલ ડાયાબિટીસ શિશુ અને માતા બન્નેના સ્વાસ્થ્યને નુકસાન પોહચાડે છે.ઇન્સ્યુલિનનું લોહીમાં પ્રમાણ વધવાથી ગર્ભમાં શિશુને શ્વસનમાં લકલીફ પડે છે..આ ડાયાબિટીસ બાળકના જન્મ પછી ઉકેલાય છે.

ડાયાબિટીસ સમગ્ર વિશ્વમાં જોવા મળે છે અને આજના સમયમાં અસ એક સામાન્ય રોગ બની ગયો છે. આ રોગ વિકસિત દેશોમાં સામાન્ય છે.એશિયા અને આફ્રિકામાં આ રોગ વૃદ્ધિ પામશે.આ રોગ મનુષ્ય સિવાય પ્રાણીઓમાં પણ જોવા મળે છે જેમ કે કૂતરા અને બિલાડા. યુનાઇટેડ સ્ટેટ્સના સર્વે મુજબ 18 વર્ષેથી વધુ ઉંમરના લોકોમાં આ રોગ જોવા મળે છે. લોકોમાં 30.2 મિલિયન છે.

વધતા જતા ડાયાબિટીસના રોગ માટે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનિઝાશન અને આંતરરાષ્ટ્રીય ડાયાબિટીસ ફાઉન્ડેશન દ્વારા 1991માં પ્રથમ વખત 14 નવેમ્બરના વર્લ્ડ ડાયાબિટીસ ડે તરીકે ઉજવવામાં આવે છે. જેનાથી લોકો ડાયાબિટીસ પ્રત્યે વધુ જાગૃત બને અને આ રોગને સામાન્ય જીવનમાં સરળતાથી સ્વીકારી શકે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.