Abtak Media Google News

અબતક, રાજકોટ

દિલ તો મજબૂત હોવું જોઇએ. આધુનીક યુગમાં સ્વાસ્થ્યની જાળવણી અને નીરામયી જીવન દરેક માટે મહત્વનું બની રહ્યું છે. ત્યારે સ્વાસ્થ્ય સંબંધી જાળવણીમાં તંદુરસ્ત હૃદય અનિવાર્ય બન્યું છે. આધુનિક જીવનશૈલી, વાતાવરણ અને ખાનપાનની કેટલીક રીતો હૃદયને સીધ્ધ અસર કરે છે હૃદય તંદુરસ્ત કેમ રહ તે હવે અનિવાર્ય મુદ્ો બન્યો છે તો જાણીએ હૃદય અંગેની વિગતવાર માહિતી રાજકોટના નામાંકિત કાર્ડિયોલોજીસ્ટ દ્વારા ભાડેશિયાએ જણાવ્યું કે નારદમુનીને આપણે ખોટી રીતે ચિતર્યા છે. આપણે તેને ઝગડો કરવનાર કે ચુગલી કરનાર તરીકે ચિતરી મુક્યા છે. વાસ્તવમાં નારદમુની ખરા અર્થમાં પત્રકાર હતા. અને આજે જે બ્રેકિંગ ન્યૂઝની પરંપરા ચાલી છે તે નારદમુનીને આભારી છે. કેમકે નારદે કેટલાય બ્રેકિંગ ન્યૂઝ ચલાવ્યા હતાં.

જાણીતા પ્રત્રકાર, સાહિત્યકાર, ગુજરાત સાહિત્ય એકાદમીના અધ્યક્ષ પદ્મશ્રી વિષ્ણુભાઇ પંડ્યાએ કહ્યું કે પત્રકાર ખરાં અર્થમાં શબ્દનો સાધક છે. તે શબ્દની ઉપાસના કરનારો છે. તેણે પોતાની જાત સાથે, પોતાના સ્પર્ધકો સાથે, સમાજ સાથે અને સરકાર સાથે સતત હકારત્મક સંઘર્ષ કરવો પડતો હોય છે. તેમણે આ તકે ઝવેરચંદ મેઘાણીને યાદ કરીને તેમના પત્રકારત્વની ખૂબ પ્રશંસા કરી અને આગામી 28 ઓગષ્ટે મેઘાણીનો જન્મદિવસ હોય દરેક મીડીયા તેમના વિશે કંશુક લખે કે પ્રસ્તૃતિ કરે એવી લાગણી વ્યક્ત કરી હતી.

હૃદય એટલે શરીરનું પમ્પીંગ સ્ટેશન જ્યાથી બધી જ જગ્યાએ લોહીનો સ્ત્રાવ સરખી માત્રામાં પહોંચે છે: એટલા માટે જ હૃદય સૌથી અગત્યનું અંગ ગણાય છે

આ પ્રસંગે સંઘના ક્ષેત્ર પ્રચાર પ્રમુખ (મુંબઇ) પ્રમોદજી બાપટ ઉપસ્થિત રહ્યાં હતાં. સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન સંઘના સૌરાષ્ટ્ર પ્રાંત પ્રચાર પ્રમુખ પંકજ રાવલ અને રાજકોટ મહાનગરના પ્રચાર પ્રમુખ જયેશ સંઘાણીએ કર્યું હતું.

તણાવયુક્ત જીવનનું પરિણામ એટલે હૃદયરોગ: ડો.અભિષેક રાવલ

Vlcsnap 2021 08 1

ડો. અભિષેક રાવ દ્વારા જણાવવામા આવ્યું હતું કે હૃદયરોગ આજની સ્ટ્રેસફૂ લાઇફનું અંગ બની ગયું છે. હૃદ્યરોગ વધતું બ્લડ પ્રેસર, ડાયાબીટીસ, તમાકાવાળી વસ્તુ, વધુ સ્ટ્રેસ લેવાથી થાય છે. જેમાં 22 થી 25% જેટલા કેસ બ્લડ પ્રેશર કારણે થતા હોય છે. તમાકુ રીલેટેડ પ્રોડ્ક્સથી 15 થી 18% જેટલા કેસ જોવા મળે છે અને ડાયાબીટીસના કારણે બ્લડની અછત પડે ત્યારે છાતીમાં દુ:ખાવો ગભરામણ, શ્ર્વાસ ચડવું, આ તકલીફો પડે છે અને નળીમાં 100% બ્લોક થાય તો હાર્ટ એટેક પણ આવી શકે છે. જે કેટલાક કેસમાં જીવલેણ હોય છે. કોલેસ્ટ્રોલ જામવાથી હૃદની નળી સાકડી થતી હોય છે. જેથી કોલેસ્ટ્રોલએ હૃદયને ખૂબ જ નુકશાનકારક છે.

હૃદયની નળીયોની તપાસ એ એન્જીયોગ્રાફી.  એન્જીયોગ્રાફીએ એક રીપોર્ટ છે અને આ રીપોર્ટ પછીની કેથલેબમાં સારવાર કરવામાં આવ અને આપણે એન્જીયો પ્લાસ્ટીક કહીયે છીએ. જો પ્રેગનેન્ટ લેડી પ્રેગનેન્સી દરમિયાન સારો ખોરાક ન લે, પ્રદૂષણો વાળી જગ્યા પર રહે, વ્યસન કરે તો બાળકને જન્મજાત હૃદ્યની ખોટ ખાપણ આવી શકે છે. હૃદ્ય રોગમાં સમયનું ખૂબ મહત્વ હોય છે. જેથી તેની સમયસર સારવાર કરાવવી જોઇએ.  રીસર્ચ ક્ષેત્રે વીલીગનેસ, સપોર્ટ, ગાઇડલાઇનની ખૂબ જ જરૂરીયાત આપણા ભારતમાં વિદેશ કરતા ઓછું રીસર્ચ થાય છે. પણ સાવ નથી થતું એવુ નથી આ બાબતે સંસ્થા અને સરકાર તરફથી વધારે પ્રોત્સાહન મળતું રહે તો આપણે રીસર્ચ ક્ષેત્રે આગળ વધીએ. અંતમાં જણાવ્યું કે નવા બનતા કાર્ડિયોલોજીસ્ટ ડો.ને પેશન્ટ માટે સીમ્પતી રાખી અને હૃદ્યરોગની ઝડપથી અને સચોટતાથી ગાઇડ લાઇન પ્રમાણે સારવાર કરવી જોઇએ. ગર્વમેન્ટની ગાઇડ લાઇન્સ આપણે ચોક્કસ માર્ગદર્શન આપે છે. નવા સંશોધનમાં ભાગ લેવો રીસર્ચ પેપર પબ્લીસ કરવા અને એમા પણ ભાગ લેવો જોઇએ.

હૃદ્યએ શરીરનું પંપીગ સ્ટેશન છે: ડો. દિવ્યેશ રાઠોડ (કાર્ડિયાક સર્જન)

123

હૃદ્યએ ચાર ચેમ્બર ધરાવતું અંગ નથી. હૃદ્યએ આપણું પાવર હાઉસ છે. હૃદ્યએ પંપીગ સ્ટેશનનું કામ કરે છે. જ્યાંથી બધી જ જગ્યાએ લોહીનો સ્ત્રાવ સરખી માત્રામાં પહોંચે છે. એટલા માટે જ સૌથી અગત્યનો અંગ તરીકે હૃદ્યને મહત્વ આપીએ છીએ. હૃદ્ય રોગ ઘણી પ્રકારના હોય છે. હૃદ્યની નસુનું બ્લોકેજ, હૃદ્યની અંદરની ચેમ્બરના વાલ્વ સંકોચા જવા અથવા પહોળા થઇ જવા નસમાં કોલેસ્ટ્રોલ જામી જવું વગેરે હૃદ્યરોગને આપણે ઓળખવા અથવા જાણવા માટે એક કાર્ડિયોલોજીસ્ટ ડોક્ટરનો ઓપીન્યન લેવો પડે ત્યારબાદ રોગનું નિદાન કરી યોગ્ય સારવાર કરવામાં આવે તો હૃદ્યરોગની સંપૂર્ણ અને સચોટ સારવાર સરળતાથી શક્ય છે.

કાર્ડીયાક ક્ષેત્રમાં મુખ્ય 2 વિભાગ આવે છે. કાર્ડિયોલોજીસ્ટ અને કાર્ડીયાક સર્જરી કાર્ડીયોજીસ્ટમાં એન્જીયોગ્રાફી, એન્જીયો પ્લાસ્ટીક, કાર્ડીયાક કેથલેબ પ્રોસીઝર સાથે સંકડાયેલ વિભાગ છે અને કાર્ડીયાક સર્જરી જે સર્જીકલ કોઇપણ પ્રોસીઝર જેમકે બાયપાસ, વાલ્વ પ્રોસીઝર હૃદ્યરોગનાં કાણાની સારવાર સાથે સંકડાયેલ વિભાગ છે. અંતમાં ડો.દિવ્યેશ રાઠોડે જણાવ્યું હતું. સ્વસ્થ હૃદ્ય રાખવા તણાવ વગરનું જીવન જીવવું. ચોખ્ખો આહાર લેવો, વ્યસ ન કરવું, યોગા કરવો અને ચાલવું જોઇએ.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.