Abtak Media Google News

હિંદુ પંચાંગ મુજબ શ્રાવણ મહિના ની સમાપ્તિ પછી છઠ્ઠા મહિના તરીકે ભાદરવા નું નામ ભાદ્રપદ નક્ષત્ર ઉપરથી રાખવામાં આવ્યું છે ભાદરવાનો આ મહિના ભગવાન શ્રીકૃષ્ણને ગણેશ ને સમર્પિત માનવામાં આવે છે, પરંતુ માસના ચાર પવિત્ર મહિનાઓમાં ભાદરવો બીજા ક્રમે આવે છે આ મહિનામાં અનેક મુખ્ય વ્રતની ઉજવણી કરવાનું અનેરૂ મહત્વ છે શ્રાદ્ધપક્ષ પરિવર્તન એકાદશી ઋષિપંચમી ગણેશ ચતુર્થી, ત્રીજ  સૌભાગ્યવતી સ્ત્રીઓ ને વિશેષ ફળ પ્રાપ્તિ થાય છે સૌપ્રથમ આ વ્રત માતા પાર્વતીએ ભગવાન શંકર અને પતિ રૂપે પામવા માટે કર્યું હતું, ભાદરવા મહિના નું ધાર્મિક મહત્વ અન્ ન્ય રહ્યું છે જપ વ્રત અને સંયમ ના સદાચારના ફળની પ્રાપ્તિ માટે ભાદરવાની નિમિત્તે માનવામાં આવે છે પિતૃઓના મોક્ષ કાર્ય અને શ્રાદ્ધ   પણ ભાદરવામાં જ કરવામાં આવે છે ભાદરવા મહિનાના ધાર્મિક મહત્વ વિશેષ રહ્યું છે સાથે સાથે આરોગ્યની જાળવણી માં પણ ભાદરવો ખૂબ જ સાવચેતી માંગી લેતો મહિનો ગણવામાં આવે છે, ભાદરવા મહિનામાં વ્રત નું,,ખૂબ જ મહત્વ છે શરીરના વિકાર અને ખાસ કરીને વાયુ પિત્ત અને કફ ને દૈનિક જીવન શૈલી વ્રત અને ઉપવાસ એકટાણા થી દુર કરવાનું એક આગવું વિજ્ઞાન પણ રહેલું છે આખું વર્ષ શિયાળા ઉનાળા અને

ચોમાસા દરમિયાન શરીરમાં ઊભા થયેલા વાયુ કફ અને પિત્તને ભાદરવામાં બાળવાની તક ઊભી થાય છે ભાદરવાની દરેક ધાર્મિક પરંપરા અને વ્રત પૂજા નો મર્મ શરીરની આરોગ્યની વિશેષ વૈજ્ઞાનિક રૂપથી જાળવણી થાય તેવી હોય છે તેનો ઉત્તમ દાખલો લેવા જઈએ તો પિતૃઓના મોક્ષ માટે કાગવાસ માં જે ખીર ખવડાવવાનું મહત્વ છે તે પણ એક વૈજ્ઞાનિક દ્રષ્ટિ એ પરંપરા બની છે ખીર શરીરમાં જમા થયેલા પીતનુ નાશ કરે છે શ્રાદ્ધ માં બનાવવામાં આવતી ખીર પિતૃઓને પહોંચે કે ન પહોંચે પણ ખીરના સેવનથી પરિવાર જનો માટે શરીર ના પિત નાશક તરીકે ફાયદારૂપ થાય છે ભાદરવામાં ખાનપાન અને જીવનશૈલી માં સાવચેતી રાખવી જોઈએ ભાદરવામાં જપ વ્રત અને સંયમ નું અનુસરણ ખાવા-પીવા અને આહારમાં પણ રાખવું જોઈએ ચોમાસાના કારણે વાતાવરણમાં રોગીષ્ટ વાયરસ બેક્ટેરિયાના ઉપદ્રવ  ને લઈને આ સમયગાળો રોગચાળાનો સમયગાળો પણ કહેવામાં આવે છે આથી જ વ્રત ની જેમ જ ભાદરવો મહિનો આરોગ્યની જાળવણી માટે પણ સત્ય રહેવાનો સમય છે અને ધર્મ પારાયણ તારી સાથે સાથે આરોગ્યની જાળવણી માટે પણ એક ખાસ મહિમા ધરાવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.