Abtak Media Google News

શિવમય ઓસમાણભાઇની કલા પર શ્રોતાઓ આફરીન

અબતક, રાજકોટ

ભજન-સંતવાણી અને સાહિત્ય જગતમાં વિશ્ર્વભરમાં ભારે નામના ધરાવતાં જાણીતા ગાયક સ્વરકાર ઓસમાણ મીર બે દિવસ કચ્છના વ્યવસાયિક પ્રવાસે છે. તા.૪ સપ્ટેમ્બરે નખત્રાણામાં નીલકંઠ મહાદેવ મંદિરે કાર્યક્રમ યોજાયો હતો. શિવ ભજન, શિવ સ્તુતિની એમણે લહાણ કરી હતી. હમણાં જ જેમનું ચંદ્રશેખરા શિવ ભજન યુ-ટ્યુબ પર લોન્ચ થયું એવા ઓસમાણ મીર શિવ ભજનો સ્ત્વનો માટે અલગ ભાવ ધરાવે છે. નખત્રાણામાં નીલકંઠ મંદિર ખાતે ઓસમાણ મીર ખીલ્યા હતાં. શિવજીના ભજનો, સ્તુતિથી એમણે લોકોને તરબોળ કર્યા, સૌરાષ્ટ્ર-કચ્છના રિવાજ મુજબ ઉપસ્થિત શ્રોતાઓએ ‚પિયાની નોટોનો વરસાદ વરસાવીને ઓસમાણ મીરની કળાના ઓવારણાં લીધા હતાં. ભક્તિમય માહોલમાં આખો કાર્યક્રમ યોજાયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.