Abtak Media Google News

આસો સુદ એકમને આજથી નવલા નોરતાનો મંગલ પ્રારંભ થયો છે. ર્માં ના ગુણગાન ગાવા માઈભકતો તલપાપડ છે આજે પ્રથમ નોરતે રાજકોટ શહેરનાં સુપ્રસિધ્ધ, આસ્થાના પ્રતિક સમા ર્માં આશાપુરાના સ્થાનકે ભકતો ઉમટયા હતા. ર્માં ના ચરણોમાં શીશ ઝુકાવવા વહેલી સવારથી જ લાઈનો લાભી હતી.

Advertisement

Dsc 1536

ભકતો આજથી નવ દિવસ દેવીઓને રીઝવવા હોમ-હવન, ઉપવાસ, અનુષ્ઠાન કરશે. તો સંધ્યાટાણે ગરબાને ફૂલહારથી શણગારી દિવડાઓ પ્રગટાવશે. ર્માં આશાપુરાના મંદિર બહાર બહેનો ચુંદડી, હાર, ગરબાની ખરીદી કરતી જોવા મળે છે. આજથી બાળાઓ બહેનો ભકિતભાવ પૂર્વક ર્માંના ગુણગાન, ગરબા ગાઈ આસ્થાભેર નવરાત્રી ઉજવશે. (તસવીર: શૈલેષ વાડોલીયા)

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.